Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિવિચરણ વિશ્રામ:- ૦૬

ચોપાઈ:- પીછે પ્રભુજી ગયે ઝાડેસરે, ત્યાંસે નાથ નર્મદા ઉતરે ।। માછીપુરમેં રયે હે મહારાજા, કિયે કૃપા કરી કિરકે કાજા ।। ૧ ।। રયે ચોકીમેં રજની જામ ચારુ, ત્યાંસે ઉઠકે ચલે હે સવારુ ।। ત્યાંસે આયે ગામ કોસાલા, તાપી સરિતા ઉતરે દયાળા ।। ૨ ।। મસ્તુબાગમેં કિયે હે ઉતારા, આયે દરશને જન અપારા ।। સુરત શહેરેમેં આયે સુખકારી, નીરખી નિહાલ ભયે નરનારી ।। ૩ ।। જે જન નીર્ખે નાથ નેનું ભરી, સોયે અનાથ નોયે પીછે ફરી ।। જાને અજાને જોયે અવિનાશી, સો સબ ભયે હરિધામ નિવાસી ।। ૪ ।। એસી મૂર્તિ સુરતમેં આઈ, કરી લીળા જનમન ભાઈ ।। ધન્ય ધન્ય એ ભગતકી ભકત, જયાંહિ પધારે આપે પ્રાનપતિ ।। ૫ ।। દિવસ સપ્ત તિયાં નાથ રયે હે, ત્યાંસે પ્રભુજી પીછે ગયે હે ।। હિરત ફિરત દેત દરશન જનકું, દેખત ગામ પુર પત્તનકું ।। ૬ ।। દોહા :- ધર્મકુંવર ધર્મપુરે, જાનન કિયે વિચાર ।। એક મુમુક્ષુ જીવ હિત, તારે બહુ નરનાર ।। ૭ ।। ચોપાઈ:- એક દિન હરિ આયતે ઉધને, નીરખી લાવો લિયો જન મને ।। હાર અપાર પહેરાયે નાથકું, લાયે મિઠાઈ જમાયે સાથકું ।। ૮ ।। દિયે હે દરશન જનકું દયાળે, ત્યાંસે ચલે પ્રભુ પ્રાતઃકાળે ।। ચિખલીમેં પ્રભુ રયે પો’ર ચારું, ત્યાંસે શ્યામ ચલે હે સવારું ।। ૯ ।। પનછ ગામમેં આયે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 296

હરિવિચરણ વિશ્રામ:- ૦૭

દોહા :- જોજો ગામ ગનીકે કયે, જયાં ગયે રયે ઘનશ્યામ ।। અબ નહાયે જયાં નાથજી, કહું સોયે સ્થળકે નામ ।। ૧ ।। ચોપાઈ:- છપિયે ના’યે હરિ આનંદભરમેં, બગિયા ચુડિયા દોનું સરમેં ।। મનોરમા સરજુ સરિતા, તામેં નાહિ નાથ કિન પુનિતા ।। ૨ ।। ઘાઘરા નદી કે ઘાટ અનુપા, તામેં ના’યે ઘનશ્યામ સુખરૂપા ।। ટેડી રૂડી નદી જો રાવતી, તામેં નાથ ના’યે પ્રાનપતિ ।। ૩ ।। બડી રાવતી નદી વિસવિ, તામેં ના’યે હરિ કહત હે કવિ ।। બાલવાકુંડ ગંડકીમેં ઘનશ્યામ, ના’યે ઓરમેં સંત સુખધામ ।। ૪ ।। ગંગા યમુના જયું નદી ગોમતી, એહ નદીમેં નહાયે પ્રાનપતિ ।। ગંગાસાગર અરુ કપિલાશ્રમે, ના’યે નાથ તાંહિ એક સમે ।। ૫ ।। રામેશ્વર સિંધુકે ઘાટજું, તાહિમેં નાયે વરનિરાટજું ।। શિવકાંચિ વિષ્ણુકાંચિમેં જાઈ, એહ નદીમેં નાયે સબે સુખદાઈ ।। ૬ ।। પંઢરપુરમેં નિરમળ નીરા, તામેં નહાયે શ્યામ સુધીરા ।। ધર્મપુર નદી ના’યે સુખધામા, નઉતમ નીર નદીકે નામા ।। ૭ ।। પનછ ચિખલીકી નદી નિહાળે, નાથ ના’યે જન કિન સુખાળે ।। તાપીનદીમેં ના’યે જબ નાથ, દિયે દરશન જન કિન સનાથ ।। ૮ ।। ચોકિમેં રહી ચતુર સુજાન, ચીની નદીમેં કિને હે સ્નાન ।। ભરોચ શહેર ના’યે નદી રેવા, વિશ્વામિત્રી ના’યે જુગ દેવા ।। ૯ ।। મહી નદી ના’યે સુખસિંધુ, સાબર ના’યે દીનકે બંધુ ।। ભોગવતીમેં ના’યે ભગવાના, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 372

હરિવિચરણ વિશ્રામ:- ૦૮

દોહા:- જયાં જયાં ના’યે જગપતિ, કિને નીર પુનિત ।। અબ કહુ સબ સુનિયો, સુંદર ઉત્સવકી રીત ।। ૧ ।। ચોપાઈ:- અબ કહું જહાં કિન સમૈયા, સોયે સુનિયો ભાવસે ભૈયા ।। સંવત અઢાર ઓગનસાઠમેં, મહાસુદી દિન પાવન આઠમેં ।। ૨ ।। તા દિન ઉત્સવ કિન માંગરોલે, દેખાયે પ્રતાપ સો જાત ન બોલે ।। સંવત અઢાર બાસઠકે વરસે, મહાવદી દિન ચઉદસે ।। ૩ ।। તીસ દિન સમૈયા કિના સિતપુરે, અતિ હરખ ભરી હરિ ઉરે ।। કીની ધૂન્ય જામની જુગ જામા, પીછે સુખાલે ભયે ઘનશ્યામા ।। ૪ ।। સંવત અઢાર વરસ બાસઠે, હરિ હરિજન સંત મિલે એકઠે ।। ચૈત્ર સુદિ પૂનમ દિને કહિયે, જીરનગઢમેં કિન સમૈયે ।। ૫ ।। સંવત અઢાર પાંસઠકે માંઈ, આસો વદી તેરશ કહાઈ ।। તા દિન કરિયાને ઉત્સવ કિના, સબ સતસંગી સંતકું સુખ દીના ।। ૬ ।। સંવત અઢાર પાંસઠ શ્રાવને, તા વદી અષ્ટમી સુંદર દિને ।। તા દિન ઉત્સવ કિન અગત્રાઈ, સબ હરિજનકું નાથ બોલાઈ ।। ૭ ।। સંવત અઢાર પાંસઠ પોસ માસે, ઉત્તરાયન ઉત્સવ કિન અવિનાશે ।। સપ્તદશ દિન લગી ઘનશ્યામે, વિપ્ર જમાયે જેતલપુર ગામે ।। ૮ ।। સંવત અઢાર છાસઠ પોસ શુદે, ડભાન જજ્ઞ કિન મન મોદે ।। સંવત અઢાર અડસઠ ફાગનમેં, સારંગપુરમેં હુતાસની રમે ।। ૯ ।। કિનો ઉત્સવ કૃપાનિધાના, દિને સબકું દરશન દાના ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 328

ગુણગ્રાહક

દોહા :- લંબોદરે હું લાગું લળી, પાર્વતીતનુ પાય ।। શુદ્ધ બુદ્ધિ દિયો શ્યામ વીર, શંકરસુત હો સહાય ।। ૧ ।। ગણપતિ ગણપતિ ગાઈએ, અવગુણ મટે અનેક ।। ગુણ વિન ગોવિંદ ના રિઝે, છિજે ન અવગુણ છેક ।। ૨ ।। ગુણ પૂજાવે સબે જકતમાં, ગુણ બઢાવત માન ।। જયામેં જેતો ગુણ રહે, તાહિ તેતો સન્માન ।। ૩ ।। ગુણ અવગુણ દો ગૂંથકે, કહું કથા પ્રબંધ ।। ઓર ગુણમેં આયી ગયે, ગુણાતીત હે ગોવિંદ ।। ૪ ।। અવગુણકું આદર નહિ, શુભ ગુણકું સન્માન ।। દોય વિધ એહ દેખહું, જાનત હે સબ જાન ।। ૫ ।। દેવ દાનવ માનવ મુનિ, સબ હે ગુણકે રાજ ।। અવગુણકું સૂઝત નહિ, રીત રંક યહ રાજ ।। ૬ ।। સબવિધ દેખ્યા શોધકે, તિનુહું લોકકે તાન ।। કહિયે અબ કહો કોનકું, ગુણગ્રાહક ભગવાન ।। ૭ ।। આકાશગુણ વર્ણન :- એક અવલ ગુણ આકાશકે, શૂન્ય સોઈ શબ્દ વિભાગ ।। શુક કોયલ મેના સખી, ઘૂડ ગર્દભ કુક્કર કાગ ।। ૮ ।। એસી વાણી જાણી એકકી, કોય ન સુનત કાન ।। એક સુનત બહુ ભાવશું, તોરત તાહીસું તાન ।। ૯ ।। એક શબ્દ ગુણગાન હે, એક શબ્દ સોઈ ગાર ।। ગાન મિલાવત મોંજકું, ગાર મિલાવત માર ।।૧૦।। એક નર અશુદ્ધ બોલહી, એક વિચારત વેદ ।। પ્રસિદ્ધ ગુણ દોઈ પેખિયે, ભયો ગિરામાંહી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 473

મનગંજનં

દોહા :- સહુ પે’લાં સમરિયે, આદ્ય પુરુષ અવિનાશ ।। સોયે વપુ ધરી વિચરે, જેનો જકતપ્રકાશ ।। ૧ ।। જનઉદ્ધારણ જનમ જગ, કરણ કોટી કલ્યાણ ।। સોયે સહજાનંદ મૂરતિ, પ્રગટ પ્રભુ પ્રમાણ ।। ૨ ।। સ્વામી સહજાનંદને, સદા રહિયે શરણ ।। લાભ અલભ્ય સો લીજિયે, જાય જનમ ને મરણ ।। ૩ ।। સ્વામી સહજાનંદનું, નામ જપે નર કોય ।। વિઘન ભવ વ્યાપે નહિ, સદાય સુખિયો હોય ।। ૪ ।। સ્વામી સહજાનંદને, જે શરણે સોંપે શીશ ।। જુએ ન અવગુણ જીવના, કરે ગુહ્ના બક્ષિસ ।। પ ।। સુણી બિરુદ એવું સદા, આવ્યો હું શરણ અનાથ ।। ગ્રહો બાંહ્ય ગુરુદેવજી, નાથ સુણો મમ ગાથ ।। ૬ ।। દેહ નગર દીવાન દોય, નિજ પરતક મન નામ ।। બને ન બંધવ બેઉને, ઠઠેરાડ્યનું ઠામ ।। ૭ ।। કોય કોયના કેણને, માને નહિ મહાવીર ।। બળભર બાધે બાકરી, સળગ્યું વેર શરીર ।। ૮ ।। પરતક મન કે’ પરહરી, નીકળ્ય નિજમન બા’ર ।। વડાશું વાદ ન કીજિયે, આપણો જીવ ઉગાર ।। ૯ ।। નિજમન કહે તું નરેશ નહિ, કાલી ન કીજિયે વાત ।। ખરી પળે તે ખમશે, જેને માથે જાત ।।૧૦।। જાત કારણ નવ જાણિયે, માટીપણું પડ્યું મેદાન ।। એહ અંજસ નવ આણિયે, નિજમન નર નિદાન ।।૧૧।। નિજમન કે’ મન મેલિયે, હાલવું પોલે હાથ ।। શીશ સાટાની […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 563

ચોસઠપદી પદ:- ૧

રાગ :- ધોળ  ‘હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા’ એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું ।। પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।। ૧ ।। પણ  વણ  કહ્યે  જો  વિગત્ય,  પડે  કેમ  પરને ।। સંત  અસંતમાં  એક  મત્ય,  નિશ્ચે  રહે  નરને ।। ૨ ।। માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે ।। મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે ।। ૩ ।। કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં ।। સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 357

ચોસઠપદી પદ:- ૨

એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો ।। પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો ।। ૧ ।। જેના અંતરમાં અવિનાશ,  વાસ કરી વસિયા ।। તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા ।। ૨ ।। એવા શત્રુતણું ટળ્યું સાલ,  લાલ  જયાં આવી રહ્યા ।। તેણે સંત થયા છે નિહાલ,  પૂરણ કામ થયા ।। ૩ ।। એવા સંત જે હોય સંસાર, શોધીને સેવીજિયે ।। કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજિયે ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 334

ચોસઠપદી પદ:- ૩

સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને ।। સેવ્યા મુકત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને ।। ૧ ।। એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા ।। જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા ।। ૨ ।। એવા સંતને પૂજીને પટ,  પ્રીત્યેશું પહેરાવિયાં ।। તેણે ઢાંકયાં સહુના ઘટ,  ભલા મન ભાવિયાં ।। ૩ ।। એવા સંત મળ્યે મળ્યા સ્વામી,  ખામી કોયે ન રહી ।। કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 276
Powered By Indic IME