અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. ।।૮।। read more
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાનાં મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ।।૯।। read more
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.।।૧૦।। read more
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે, અમારા જે સત્સંગી તેમણે કોઇ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી.।।૧૧।। read more
અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઇ જીવની હિંસા ન કરવી. કેમજે, અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. ।।૧૨।। read more
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઇ રીતે આત્મઘાત ન કરવો. ।।૧૪।। read more