દોહા – વળી એક કહું ઊપાયને, તમે સાંભળજો સહુ જન । કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઈ પ્રસન્ન ।।૧।। જેહ ઊપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય । મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।। લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ । કર્યો ઊપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।। સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ । તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।। ચોપાઈ –ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે । તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।। કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારૂં પર્મરે । રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।। સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।। વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે । દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।। શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે । એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।। ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે । કરવી સહુ જનની રખવાળરે, અતિ દિલમાં થઈ દયાળરે ।।૧૦।। ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે । એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરૂર રાખવા શ્રમરે ।।૧૧।। […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)