દોહા- મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ । અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।। દયાનિધિ દયાકરી, જીવ જકતના ઊપર જોર । તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।। અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ । અમિતને અભય કરવા, સાપવા સુખ સમાજ ।।૩।। પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન । જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।। ચોપાઈ – એહ અર્થે કરે છે ઊપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે । જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।। લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે । લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।। માટે મોટા ઊત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે । પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।। તેદિ આવે લાખોલેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે । જાુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।। સહુજન તણા તાપ હરેરે, સુખશાંતિ અંતરમાં કરે રે । સહુ સુખિયા થઈ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।। રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે । કરતાં એ લીળાનું ચતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।। એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે । તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।। નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે । […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)