Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧૩

પૂર્વછાયો:- ચાલ્યા પ્રભુ અગત્રાઇ થઇ, આખે પીપળાણે જવા માટ; ઉભા રહ્યા બેય ગામની, તે જુદી પડી જયાં વાટ. 1 ચોપાઈ:- બંને ગામના ભકતસમાજ, સામા આવ્યા તે શ્રીજીને કાજ; બંને મંડળિયો જુદી દિસે, સૌના હૈયામાં હરખ અતિશે. 2 ઘણા તાળ મૃદંગ વગાડે, માંહો માંહી ગુલાલ ઉડાડે; પ્રભુ પ્રથમ અમારે ગામ, આવશે એમ જાણે તમામ. 3 નારાયણ દવે નરસિંહ મેતા, તેઓ પણ એમ જાણતા હતા; સાધુ પાર્ષદ ને બ્રહ્મચારી, તેની સંખ્યા તો ત્રણસેં ધારી. 4 બંને ગામમાં થાય રસોઇ, દાળ ચોખા ચડાવેલા ધોઇ; મળી મંડળિયો જેહ ઠામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ. 5 બંને ગામના એમ ઉચ્ચારે, પ્રભુ ગામ પધારો અમારે; થવા આવી રસોઇ તૈયાર, ઝાઝી તેમાં નથી હવે વાર. 6 સુણી બોલિયા વૃષકુળરાય, બેય ઠેકાણે કેમ અવાય ? પાક કેમ કર્યો બેય ગામ ? તમે સમઝ્યા વગર કર્યું કામ. 7 બેય ગામના બોલિયા ત્યારે, જાણ્યું આવશે ગામ અમારે; એમ સમજી રસોઇ કરાવી, જમો સંતસહિત તમે આવી.8 પછી એકાંતે જૈ ઘનશામ, તેડ્યા મુકતમુનિ મયારામ; કહ્યું આ વાતનું કેમ કરવું ? કિયા ગામમાં પ્રથમ વિચરવું. 9 બોલ્યા તે સમે બેય વિચારી, તમે સમરથ છો સુખકારી; જયારે બ્રહ્માયે વાછરુ હર્યા, તમે સર્વે તણાં રૂપ ધર્યાં. 10 વળી નવલખા પર્વતમાંય, નવ લાખ હતા સિદ્ધ જયાંય; નવ લાખ ધરીને સ્વરૂપ, મળ્યા તેને તમે મુનિભૂપ. 11 એવી રીતે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1857

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧ર

પૂર્વછાયો:- ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા લોજ થકી વૃષલાલ; વળી આવ્યા કાલવાણિયે, સંત સહિત દીનદયાળ. 1 ચોપાઈ:- સમૈયો ત્યાં પ્રબોધિની કેરો, કરવાનો છે હરખ ઘણેરો; ગામોગામમાં પત્ર લખાવ્યા, સંત હરિજન સર્વ તેડાવ્યા. 2 આડો દિવસ રહ્યો જયારે એક, ત્યાં તો આવિયા સંઘ અનેક; ભુજ થકી આવ્યા મુકતાનંદ, સાથે સંત ને સત્સંગીવૃન્દ. 3 કાઠિયાવાડ સોરઠકેરા, આવ્યા સંચરી સંઘ ઘણેરા; ઝાલાવાડી તથા ગુજરાતી, આવ્યા તેની સંખ્યા નથી થાતી. 4 દશમી દિને સૌ નરનારી, આવી નિરખિયા દેવ મુરારી; પછી એકાદશીને પ્રભાતે, પ્રભુ નાવા ગયા ભલી ભાતે. 5 સંત સત્સંગી સૌ લઇ સાથ, નાયા જૈ નદીમાં મુનિનાથ; વાટે કીર્તન સંત ઉચારે, પાછા આવિયા એમ ઉતારે. 6 પછી જયાં સભા શ્રેષ્ઠ ભરાઇ, આવ્યા હરબાઇ ને વાલબાઇ; તેની પ્રથમ કહી છે મેં વાત, કરૂં વાત વિશેષ વિખ્યાત.7 આતમાનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી; વાલબાઇ તે કણબી જાતે, હરબાઇ તો કુંભાર નાતે. 8 ધારે અંચળ ભગવાં અંગે, રાખે શિષ્ય ઘણા નિજસંગે; આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદને રહી મળી તેહ. 9 તેનું જ્ઞાન દિલે લીધું ધારી, મત અદ્ધૈત મેલ્યો વિસારી; તોય જ્ઞાન તણું અભિમાન, રહે અંતર માંહી નિદાન. 10 સાથે મંડળી લૈને તે ફરે, નર નારીને ઉપદેશ કરે; પુરુષોની સભા માંહી પેસે, ગાદિ તકિયા નંખાવીને બેસે. 11 હતા જયારે રામાનંદજી તે, ચાલ્યું ત્યાં સુધી તો એવી રીતે; પછી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 2494

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧૧

પૂર્વછાયો:- ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જયાંય; લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય.1 ચોપાઈ:- કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે; કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. 2 આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું; જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુકતનો કીધો મેળાપ. 3 ગાદી પામ્યા પછી કોઇ વાર, તમે આવ્યા નથી એહ ઠાર; અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. 4 સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ; કાળવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. 5 એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ; માટે શી રીતે અહિંથી જવાય ? મારું વેણ મિથ્યા કેમ થાય ? 6 સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી; અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. 7 વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી; હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. 8 સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ; કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. 9 ધનતેરશ આવશે જયારે, અમે ત્યાં આવશું તેહ વારે; સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. 10 જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો; કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. 11 ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજયા ચૌદશે હનુમંત વીર; પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. 12 […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1807

Gadhada First Chapter:-1

In the Samvat year 1876, on the fourth day of the bright half of the month of Margashirsh at night. Shreeji Maharaj was seated in the residential place of the saints in the Durbar [royal residence] of Dada Khachar in Gadhada. He had put on all white garments-Saints and devotees from various places had gathered before Him in an assembly. Then Shreeji Maharaj asked the assembly a question, “Out of all the means of realizing God which one is the most difficult? The saints and the devotees tried to give the answer according to their understanding but no one could give a satisfactory answer. Thereupon Shreeji Maharaj said, “Come, I will give the answer. There is no means more difficult than to concentrate one’s mind without interruption on the divine image of God. It is also said in the Holy Scriptures that there is no greater achievement for a devotee than such an uninterrupted concentration of mind on the divine image of God. The divine image of God is like a Chintâmani [a wishing stone]. Anyone who is in possession of a wishing stone is able to achieve whatever he desires. Similarly he who can concentrate his mind without interruption […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 1657

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, તમે સુણો અભેસિંહ ભ્રાત; લીલા કરી માંગરોળમાં, તેની કહું વિશેષે વાત. 1 ચોપાઈ:- રામાનંદસ્વામી હતા જયારે, માંગરોળ વિષે તેહ વારે; બાંધ્યું હતું સદાવ્રત એક, આવતા તીર્થવાસી અનેક. 2 કર્યુંજાતું વેરાગીયે તોફાન, તેથી બંધ કર્યું અન્નદાન; સહજાનંદ સ્વામીયે ધાર્યું, અહીં કરિયે સદાવ્રત સારું. 3 આતમારામ નામે વેરાગી, તેની જગ્યા જથાજોગ્ય લાગી; તેને બોલાવીને કહ્યું ત્યારે, અન્નસત્ર તો કરવું અમારે. 4 તેને યોગ્ય છે જગ્યા તમારી, તમે કામ કરો મન ધારી; ખર્ચ થાશે તે આપશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. 5 સાધુ રાખશું ચાર અમારા, બીજા રાખજો સાધુ તમારા; એવી રીતે કહ્યું ઘનશામે, વાત માની તે આતમારામે. 6 ચાર સાધુ મુકયા એહ ઠામ, હવે હું કહું તેહનાં નામ; મુકયા આનંદસ્વામીની પાસ, એક તો રામસેવકદાસ. 7 હરિદાસ અને દેવાદાસ, રાખ્યો ચારેનો ત્યાંજ નિવાસ; પછી માંડ્યું સદાવ્રત દેવા, તીર્થવાસી આવે બહુ લેવા. 8 કૈંક માસ પછી તેહ કામે, કરી ગરબડ આતમારામે; સંત સાથે તો ઇરષા વાધી, અતિ કરવાને માંડી ઉપાધી. 9 આનંદાનંદને હરિદાસે, પછી જગ્યા કરી વાવ્ય પાસે; સાધુ ચારે ગયા ત્યાં રહેવા, માંડ્યું ત્યાંજ સદાવ્રત દેવા. 10 એ જ રીતે વળી બીજે ગામે, અન્નસત્ર કર્યા ઘનશામે; સુણજો અભેસિંહ મહીશ, કથા તે તો પછીથી કહીશ. 11 માંગરોળ તણી વળી વાત, કરું એહ પ્રસંગે પ્રખ્યાત; એક દૂધતળાવડી નામ, તેમાં નાવા ગયા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 3380

વાસુદેવ નારાયણ વિષ્‍ણુ મોહન કૃષ્‍ણ મુરારી… પદ:- ૧

રાગ : ભૈરવ વાસુદેવ નારાયણ વિષ્‍ણુ મોહન કૃષ્‍ણ મુરારી, શંક ચક્ર કરકમળ ગદાધર કમળાવર સુખકારી.  વાસુદેવ૦  ૧ માધવ મુકુંદ માવ મધુસૂદન અક્ષરપર અવિનાશી, રાધારમણ રમાપતિ રાઘવ હૃષીકેશ સુખરાશી.  વાસુદેવ૦  ૨ પ્રાણનાથ પુરુષોત્તમ પૂરણ પ્રભુ પૂરણ અપારા, પુંડરીકર્દગ પાળ પુરાતન પીતાંબર જગપ્‍યારા.   વાસુદેવ૦  ૩ નરભ્રાતા નરસિંહ નિરંજન નાથ નિડર બહુનામી, તપફ્‍ળ તપકારક તપવલ્‍લભ ધરનીધર ચિદ્ધામી.  વાસુદેવ૦  ૪ વામન વિશ્વાધાર વિશ્વંભર વરદાયક વ્રતધારી, વિભુવરાહ વિમળજશ વિઠ્ઠલ વ્રજપતિ કુંજવિહારી.  વાસુદેવ૦  ૫ કમલનયન કેશવ કરુણાનિધિ કેવળ નાથણ કાલી, હંસ હરિ હયગ્રીવ હિરણ્‍મય મચ્‍છ કચ્‍છ વનમાળી.  વાસુદેવ૦  ૫ ગોકુલેશ ગોપાળ ગરુડધ્‍વજ ગુણાતીત ગોવિંદા, ગોપીજનવલ્‍લભ ગિરિધારી ચતુરબાહુ વ્રજચંદા.  વાસુદેવ૦  ૭ ભવતારણ ભૂધર ભુવનેશા ભક્‍તવત્‍સલ ભયહારી, બદ્રીપતિ બળવીર મહાબળ શ્‍યામ રામ કંસારી.  વાસુદેવ૦  ૮ જગકર્તા જગદીશ જગદ્‌ગુરૂ જગજીવન જદુરાયા, યજ્ઞ યજ્ઞભુક્‍તા યોગેશ્વર કલ્‍કી બુદ્ધ કહાયા.   વાસુદેવ૦  ૯ ઊર્ધ્‍વબાહુ મુક્‍તેશ અધોક્ષજ અચ્‍યુત અમર અનંતા, દીનબંધુ નટવર દામોદર કલિહર ત્રિભુવન કંતા.   વાસુદેવ૦  ૧૦ પ્રાતઃસમય ઘનશ્‍યામ પિયાકી નામમાળ ઉઠી ગાયે, બ્રહ્માનંદ મનોહર મુરતિ અંતરમાંહે ઠેરાયે.  વાસુદેવ૦  ૧૧ read more

Edit | Renew | Delete | (expires in days)

2 Views : 2440

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૯

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત; મગનીરામે શું કર્યું, હવે તે હું કહું છું વાત. 1 ચોપાઈ:- ચાલ્યો શ્રીહરિ પાસેથી જયારે, ગયો તરત પોતાને ઉતારે; શુદ્ધ વસ્ત્ર ધર્યાર્ં કરી સ્નાન, બેઠો એકાંતે થૈ સાવધાન. 2 ઘીના દીવા કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું; આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માળીકા ધરી. 3 કરી હોમ કર્યું તરપણ, ત્યાં તો આવી દેવી તતક્ષણ; કેમ સમરી મને કહે દેવી, માગ્ય માગ્ય ઇચ્છા હોય જેવી. 4 મુખે બોલિયો મગનીરામ, કહું છું તે કરો એક કામ; માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. 5 મોટામોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા; મંત્રી તંત્રી ગમે તેવો હોય, મને જીતી શકયો નહિ કોય.6 ફર્યો દક્ષિણ પૂરવ દેશ, કર્યો પશ્ચિમ દેશ પ્રવેશ; ઘણા નરપતિના દંડ લીધા, અભિમાની ઘણા વશ કીધા. 7 મહાસાગરનો પામી પાર, હવે ડૂંબું છું ખાડા મોઝાર; માટે માતા સહાયતા કરો, મારા શત્રુ તણો મદ હરો. 8 એક પુરુષ રહે છે આ ઠામ, તેનું સ્વામિનારાયણ નામ; એણે કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. 9 મારો કોઇ પરાભવ કરે, તેની લાજ તો તુજને ઠરે; માટે જાઓ માતા હાલહાલ, ધરો વેષ મહા વિકરાળ. 10 એનાં સર્વ મનુષ્યો સહીત, નાંખો સાગર માંહી ખચીત; ત્યારે જીત્યો હું જગમાં જણાઉં, નહિ તો […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 2451

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની… પદ:- ૧-૪

રાગ : ભૈરવી પ્રભાતી  પદ – ૧ પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે. પ્રાત૦ ટેક૦ નખશિખ નિરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે. પ્રાત૦ ૧ રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્‍યા મન મોરે રે; પુષ્ટ તરુણ તન ભીને વાને, હંસગતિ ચિત્ત ચોરેરે. પ્રાત૦ ૨ અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ર બહુ શોભે રે; પુષ્‍પતણાં આભૂષણ જોઇ જોઇ, ભક્‍તતણાં મન લોભેરે. પ્રાત૦ ૩ મેઘ સરીખેરે ઘેરે સાદે, બોલતા બહુનામી રે; ભક્‍ત મનોરથ પૂરણ કરતા, પ્રેમાનંદના સ્‍વામીરે. પ્રાત૦ ૪ પદ – ૨ પ્રાતઃ સમે શ્રી સ્‍વામીજીનાં, ચરણ ચિહ્ન ચિંતવિયે રે. પ્રાત૦ ટેક૦ સ્‍વસ્‍તિ જવ જાંબુ ધ્‍વજ રેખા, અંતરમાં ગોઠવીયેરે. પ્રાત૦ ૧ કુલિશ કમળ અંકુશ અષ્ટકોણ, જમણે ચરણે સંભારું રે; વામ પદે મત્‍સ્‍ય ત્રિકોણ કલશ ખરી, વ્‍યોમ ધનુષ શશી ધારું રે. પ્રાત૦૨ જમણે ચરણે અંગુઠા ઉપરે, નખમાંહી ચિહ્ન જોઇરે; પેલીને છેલી આંગળીએ તિલ, તેમાં મન રાખું ઠોઇ રે. પ્રાત૦ ૩ રાતા ને ચડીયાતા નખ દશે, આંગળીયોના જોવું રે; પ્રેમાનંદ જોઇ પાની ઘુંટી, પિંડીમાં મન પ્રોવું રે. પ્રાત૦ ૪ પદ – ૩ પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂરતિમાં મન ધરીયે રે. પ્રાત૦ ટેક૦ એ અવસરે જે આડ કરે તે, પાપ જાણી પરહરીયે રે. પ્રાત૦ ૧ જાનું જુગલ જોઇને સુંદર, સાથળ શોભા સારી રે; વામ સાથળમાં ચિહ્ન એક નિરખું, શ્‍યામ કટિ લાગે પ્‍યારી રે. પ્રાત૦ ૨ કમળ […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 1636
Powered By Indic IME