પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, તમે સુણો અભેસિંહ ભ્રાત; લીલા કરી માંગરોળમાં, તેની કહું વિશેષે વાત. 1 ચોપાઈ:- રામાનંદસ્વામી હતા જયારે, માંગરોળ વિષે તેહ વારે; બાંધ્યું હતું સદાવ્રત એક, આવતા તીર્થવાસી અનેક. 2 કર્યુંજાતું વેરાગીયે તોફાન, તેથી બંધ કર્યું અન્નદાન; સહજાનંદ સ્વામીયે ધાર્યું, અહીં કરિયે સદાવ્રત સારું. 3 આતમારામ નામે વેરાગી, તેની જગ્યા જથાજોગ્ય લાગી; તેને બોલાવીને કહ્યું ત્યારે, અન્નસત્ર તો કરવું અમારે. 4 તેને યોગ્ય છે જગ્યા તમારી, તમે કામ કરો મન ધારી; ખર્ચ થાશે તે આપશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. 5 સાધુ રાખશું ચાર અમારા, બીજા રાખજો સાધુ તમારા; એવી રીતે કહ્યું ઘનશામે, વાત માની તે આતમારામે. 6 ચાર સાધુ મુકયા એહ ઠામ, હવે હું કહું તેહનાં નામ; મુકયા આનંદસ્વામીની પાસ, એક તો રામસેવકદાસ. 7 હરિદાસ અને દેવાદાસ, રાખ્યો ચારેનો ત્યાંજ નિવાસ; પછી માંડ્યું સદાવ્રત દેવા, તીર્થવાસી આવે બહુ લેવા. 8 કૈંક માસ પછી તેહ કામે, કરી ગરબડ આતમારામે; સંત સાથે તો ઇરષા વાધી, અતિ કરવાને માંડી ઉપાધી. 9 આનંદાનંદને હરિદાસે, પછી જગ્યા કરી વાવ્ય પાસે; સાધુ ચારે ગયા ત્યાં રહેવા, માંડ્યું ત્યાંજ સદાવ્રત દેવા. 10 એ જ રીતે વળી બીજે ગામે, અન્નસત્ર કર્યા ઘનશામે; સુણજો અભેસિંહ મહીશ, કથા તે તો પછીથી કહીશ. 11 માંગરોળ તણી વળી વાત, કરું એહ પ્રસંગે પ્રખ્યાત; એક દૂધતળાવડી નામ, તેમાં નાવા ગયા […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)