Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – પ૩

અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન, પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. ।।૫૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

શિક્ષાપત્રી શ્લોક – પ૪

અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને, નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. ।।૫૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – પ૫

અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પર્યન્ત સર્વે ક્રિયા કરવી. ।।૫૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

શિક્ષાપત્રી શ્લોક – પ૬

અને તે જે આત્મનિવેદી ભકત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાનાં સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. ।।૫૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

શિક્ષાપત્રી શ્લોક – પ૭

અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. ।।૫૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 172

શિક્ષાપત્રી શ્લોક – પ૮

અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદિ એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. ।।૫૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

શિક્ષાપત્રી શ્લોક – પ૯

અને નિર્ગુણ કહેતા માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. ।।૫૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

શિક્ષાપત્રી શ્લોક – ૬૦

અને એ જે આત્મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું  ને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. ।।૬૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99
Powered By Indic IME