Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૯

વૈશાખ વદિ એકાદશીએ શંકરપ્રસાદ આ ગામમાં આવતા માર્ગમાં અધર ટૂટિયું આવ્યું તે મરી ગયો, એ વાત એક હરિજન પાસે કહેવરાવીને કહ્યું જે, “મુમુક્ષુને તો સદાય કકડાટી જ દેખાય જે, આ તો હમણાં ચાલ્યું જવાશે ને મહારાજે પણ કહ્યું છે જે,‘અમને તો એમ જ વર્તે છે જે આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જાશે.’ માટે ભગવાન ભજી લેવાં.” ।।૨૦૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૦

અને ઉપશમ કરે તે મને ગમે ને હું રાજી થાઉં. ને જે જે ક્રિયા અચાલતી (ખાસ જરૂરની) હોય તે કરવી, પણ પછી ધબ પડી મેલવી; સંકલ્પ કર્યા ન કરવા. આ તો મર્કટની ઘોડ્યે છે. તે એક બુઢિયો વાનરો તેને બીજાએ વાંદરી પાસેથી કાઢી મૂકયો, પછી બોકાસા નાખે; એમ આપણને પણ વિષયમાંથી દુઃખ ઊપજે છે ને બોકાસા નાખીએ છઈએ માટે વિષયથી છેટે રહેવું. ।।૨૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૧

એક ભકતે પૂછ્યું જે, ‘આત્મા કેમ દેખાતો નથી ?’ પછી સ્વામી કહેઃ ‘દેખાય તો છે, પણ મનાતો નથી. જ્ઞાન થાશે ત્યારે મનાશે. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ; એમ મર્મમાં વાત કરી. ।।૨૧૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧ર

અને આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઇ જાશે, માટે કથા, કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવાં. શ્રવણ સારુ તો પૃથુરાજાએ દશ હજાર કાન માગ્યા ! ને પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને બોલ્યા જે, ઓહો ! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થઇએ. જુઓને માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એજ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કહેવાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું; અને આવો સમો આવ્યો છે, તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતો સાંભળે નહિ એવી જીવની અવળાઇ છે. આ ઘડી જો હજાર રૂપિયા ખરચવાનું કહે તો ખરચે પણ ઓલ્યું ન થાય; ને સ્ત્રી, છોકરો, હવેલી ને વેપાર એ બધાં તેમાં આડ્ય કરે, ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે, ‘રૂપિયા ખરચું પણ રહેવાય નહિ.’ એક હરજી ઠક્કર તેએને ગામથી આવીને ગઢડે ભગવાન સારુ મહારાજ ભેળા રહ્યા.આજ પણ આ સાધુ પાસે કોઇ રહેતું નથી. પછી એમ બોલ્યા જે, જા ઘેર હરિ કથા નહિ કીર્તન, સંત નહિ મીજમાના; તા ઘેર જમરા ડેરા દેવે, સાંજ પડ્યે સમસાના. એમ છે, પછી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૩

અને માવો ભકત કહેતા જે, ‘કાંઇ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય.’ એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઇ જાય છે. ‘બ્રહ્માનંદ હરિચરન બિના, સબે ચવિના કાલકા’ એમ કહ્યું છે. ।।૨૧૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૪

આ જીવ કોઇ દી પ્રભુ ભજવા નવરો થયો નથી. ને સર્વે ધૂળનું છે, પણ માંહી ચોંટી રહે છે, ને જયારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દે, રસ આવે ત્યાં તરત દોડી પૂગે, રૂપ આવે તો ઝડપ જોઇ લે, સ્પર્શ આવે કે ઝડપ ત્વચા સ્પર્શ કરી લે,ગંધ આવે કે ઝડપ નાસિકા સૂંઘી લે, એમ પંચવિષયમાં ઝડપું નાખે છે. અને એ બધાય વિષય છે તો વિષ્ટાના,‘ઇન્દ્રાણી ચંદન લગાય અંગ’ એ સવૈયો બોલ્યા. એવા વિષય છે. માટે ‘નિજાત્માનં બ્રહ્મરુપં’ એવું થાવું. તે વિના છૂટકો નથી. વારંવાર માનવ દેહ નથી, જો આવી તો ચેત ધર થકી; જરાએ જાજરું થાશે અંગ, ને ઇન્દ્રિયો મૂકી દેશે સંગ; સમજવાનું હોય તે સમજી લે, પછી ફૂટે ઘડે પાણી ન રે’ ।।૨૧૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧પ

પુરુષોત્તમપણાનો કજિયો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે; તે પુરુષોત્તમ કહેવામાં માણસને કેટલી શંકા ! ને બીજા પુરુષોત્તમના રુંવાડા જેવા પણ હોય નહિ, તેને પુરુષોત્તમ કહે છે; એમ સમજણ આવવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય. ને આવી વાતો વિના મોક્ષ ન થાય ને આવી વાતો કરનારા પણ કયાં મળે ? આ તો ‘ઘરમાં દેવ ને પાદર તીર્થ’ એનું માહાત્મ્ય જણાય નહિ તમે આ લોકમાં પણ કહે છે. ।।૨૧૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૬

અને કાલ રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યાએ મુદ્દો હાથ આવ્યો. આવા પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું ? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે; હવે ચિંતા નથી. મીલનો મોહામોહકો નીકો; આછો નીકો લાલ હમારો, ઓર સબે રસ ફીકો;ખાટી છાશ કહા રસ માણે ? સૂર ખવૈયો ઘીકો.તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે, ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શો માલ છે ? ।।૨૧૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 122
Powered By Indic IME