અને આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઇ જાશે, માટે કથા, કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવાં. શ્રવણ સારુ તો પૃથુરાજાએ દશ હજાર કાન માગ્યા ! ને પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને બોલ્યા જે, ઓહો ! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થઇએ. જુઓને માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એજ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કહેવાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું; અને આવો સમો આવ્યો છે, તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતો સાંભળે નહિ એવી જીવની અવળાઇ છે. આ ઘડી જો હજાર રૂપિયા ખરચવાનું કહે તો ખરચે પણ ઓલ્યું ન થાય; ને સ્ત્રી, છોકરો, હવેલી ને વેપાર એ બધાં તેમાં આડ્ય કરે, ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે, ‘રૂપિયા ખરચું પણ રહેવાય નહિ.’ એક હરજી ઠક્કર તેએને ગામથી આવીને ગઢડે ભગવાન સારુ મહારાજ ભેળા રહ્યા.આજ પણ આ સાધુ પાસે કોઇ રહેતું નથી. પછી એમ બોલ્યા જે, જા ઘેર હરિ કથા નહિ કીર્તન, સંત નહિ મીજમાના; તા ઘેર જમરા ડેરા દેવે, સાંજ પડ્યે સમસાના. એમ છે, પછી […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)