Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૧

બીજા તો સુરાભકતના આપાનાં પુણ્ય જેવાં પુણ્ય કરે છે.તે આપો કાશીએ રૂપિયા પાંચસે વાણિયાના વ્યાજે કાઢીને ગયા, તે ધોળકામાં સારાં કેળાં ને કેરી આદિક સારું દીઠું એટલે ત્યાં રહ્યા. પછી બધું ખાઇને વર્ષ એક થયું, ત્યારે વાંસ લઇને કાવડ કરી ને વચ્ચે સાબરમતીથી પાણી ભરીને આવ્યા; ત્યાં તો સહુ સામા ગયા ને ગામમાં આવ્યા. પછી ઓલે વાણિયે ઉઘરાણી કરી, ત્યારે કહે જે, ‘દેશું.’ પછી ઝાઝા દિવસ ગયા એટલે અકળાઇને કહ્યું જે, ‘કાં તો રૂપિયા દિયો ને કાં તો ગંગાજીનું પુણ્ય દિયો.’પછી તો આપાના છોકરાં સહુ કહે જે, ‘ના પુણ્ય તો નહિ.’ ત્યારે આપો કહે, ‘દે રે દે, પુણ્ય તો દીધા જીમો (જેવો)છે.’ એમ કહીને કાનમાં ધોળકાનું કહ્યું, પછી પુણ્ય દીધું; ત્યાંતો મર વાણિયાનો છોકરો, પછી બાઇડી ને પછી પોતે; આજ પુણ્ય જગતમાં એવા થાય છે,એમ કહી હસ્યા ને પછી કહે, મહારાજ એવી વાતું કરાવતા. ।।૨૦૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦ર

આપણે કાંઇએ કરવું નથી, કાં જે સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ છે. તે જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે, ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે ‘જીવતે લાખના ને મૂએ સવા લાખના .’ હવે કોઇ વાતે ફિકર નથી. ને ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, એજેમ કરશે તેમ ઠીક જ કરશે.’ ।।૨૦૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૩

અને આ સાધુ પાસે ભગવાન છે તે જે એનો સંગ કરે તેને દિયે છે. માટે આ સાધુના સમાગમમાં માલ છે; માટે એની આગળ દીન આધીન થાવું, એને નમવું અને એનો અભિપ્રાય જાણવો જે, શું એનો સિદ્ધાંત છે ? એમ જાણીને તે પ્રમાણે વર્તવું. ।।૨૦૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૪

આણીકોર દ્વારકાનાથ ને ઓણીકોર વડનગર ને વિસનગરને આણીકોર સાબરમતી ને નર્મદા એ બધેય ભગવાન ફર્યા છે, કાંઇ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે માટે એ સંભારવું. ।।૨૦૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦પ

આ જીવ આમ સંકલ્પ કરે છે. જેમ ઓલ્યા સૂતરનો તાણો કરીને લૂગડું કરે છે, એમ એકરસ આકાશની ઘોડ્યે (પેઠે) કર્યા કરે છે, પણ આંહીં રહેવું નથી એ ખબર નથી, એવો જીવનો સ્વભાવ છે. ।।૨૦૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૬

અને પંકિતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિઃસ્વાદી કહેવાય ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે, તોય પણ તે સ્વાદિયો કહેવાય. તે માટે જુદું પડ્યે જ બગડે છે અને નિઃસ્વાદી કેને કહીએ ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, પંકિતમાં જે મળે તે મેળાવીને ખાઇ લે ને બીજું કાંઇએ ઉપાર્જન ન કરેને ચાળા ચૂંથતો ન ફરે એ નિઃસ્વાદી કહેવાય. ને ત્યારે જભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાનો ઉપાય, સાધુનો સમાગમ ને નિયમ એ બે છે. ‘ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે જે, તરવાર તો ખરીપણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય;  એમ આવા વચન પણ બ્રહ્મવેત્તાનાં લાગે , પણ બીજાનાં લાગે નહિ.।।૨૦૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૭

ચોવીસ વર્ષ થયાં આવરદા નથી ને આ દેહ વાતો સારુ જ રહ્યો છે, પણ ત્રીસ વર્ષ થયાં ક્રિયા ઉપરા ઉપર આવી છે, તે પૂરી વાતો થાતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઇ જાય ને સમાધિ થઇ જાય પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી; મનમાં હામ રહી જાય છે. ।।૨૦૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૯

અને સાધુ થયા ને ભેખ ન સુધર્યો, ત્યારે શું થયું ? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુનાં લક્ષણ કહ્યાં છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. ।।૨૦૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105
Powered By Indic IME