Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૭

આ દેહને તો જેમ કોઇ પદાર્થ ઉપર તુળસી મૂકે છે ને કૃષ્ણાર્પણ થાય છે, એમ કરી મૂકવો. તે વિના મોક્ષ થાય નહિ, ને શાંતિ પણ થાય નહિ. એટલે એક જણે કહ્યું, ‘હા, શાંતિ થાતી નથી.’ ત્યારે સ્વામી કહે, ‘કયાંથી થાય ? શાંતિ તો આવા સાધુમાં છે; તેને સેવે ત્યારે આવે. જે ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે. તે માટે આ સાધુનો તો સમાગમ જે કરે તેને શાંતિ આવે.’ ।।૧૭૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૮

અને માન, કામ, ક્રોધમાં જીવ ભરાઇ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે ? ને ગ્રામ્યવાર્તાનું કહ્યું જે, ગ્રામ્યવાર્તા ત્રણ જણ હતા તે કરતા, તેને મહારાજ કહે જે, ‘આને અમ પાસે આવવા દેશો મા, એ ગ્રામ્યવાર્તા કરે છે.’ માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારુ કરવી જોઇએ ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિનાખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા. ।।૧૭૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૯

અને દેહને તો શું કરવું છે ? આમ ને આમ પરપોલા જેવું કરી રાખે છે, એવું ન રાખવું, ખાસડાં જેવું કરી નાખવું.આ જોને અમારા પગ વજ્ર જેવા છે. તે કાંટો વાગે જ નહિ ને ધગે પણ નહિ. ને એકવાર મહારાજ પાસે જાતા હતા, તે રસ્તામાં શૂળ હતી તે કરડ કરડ બોલતી ગઇ ને એમ ચાલ્યા ગયા. કાંઇયે થયું નહિ; માટે દેહ જો પરપોલા જેવો રાખ્યો હોય તો જરાક વા ન આવે તો જીવમાંથી આકળો થઇ જાય તે માટે એવો દેહ ન રાખવો. ।।૧૭૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 136

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૦

સંવત્ ૧૯૨૦ના ભાદરવા સુદિ બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેળીને વાત કરી જે, જે ક્રિયા કરવી તેમાં માન,ક્રોધ ને ઇર્ષા એ ત્રણ તો આવવા દેવાં જ નહિ. અને ક્રિયામાં તો માણસ જડાઇ જાય છે; તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતાં હતા, ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, એમ પણ ક્રિયામાં જડાઇ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું; ને બીજું તો બધુંયે થાય, પણ જે આજ્ઞા ને વર્તમાન પાળે તે ઉપર મહારાજની નિરંતર દષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું ? જે, ત્રણ ગ્રંથમાં બધું આવી ગયું. ।।૧૮૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૧

વરતાલમાં મેડા ઉપર મહારાજે વાત કરી જે, સ્વામી !હજી નિશ્ચયમાં ફેર છે કે નથી થયો ? જો કોઇક સ્ત્રી ભેળી થઈ હોય તો ડગમગાટ થાય ? જેમ ગોરધનભાઇ તથા તેના પુત્ર તે ભેળા પ્રત્યક્ષ શ્રીજીમહારાજ સૂતા, તે ત્રણ થયા. બીજું ગોકળ ભાટિયાનું કહ્યું જે, નાત બહાર કાઢ્યા ને એની ડોશીને સર્વ ક્રિયામાં ભગવાન દેખાય ને બહાર જાય ત્યાં જે ક્રિયા કરે તે સર્વમાં મહારાજ દેખાય, પણ સત્સંગી નહોતી. ત્યારે એવી કોઇક ક્રિયા જોઇને નિશ્ચય રહે નહિ. સંશય થઇ જાય પણ લીલા ન જણાય, સત્સંગ કરે ને તેમાં જો આ સર્વ કહ્યાં એવાં ચોખા ન સમઝે તો કસર રહી જાય. ।।૧૮૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮ર

અને આ સાધુનું તો દર્શન કર્યે પંચમહાપાપ બળી જાય;પણ પૂરું માહાત્મ્ય કયાં જાણ્યામાં આવ્યું છે ? ।।૧૮૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૩

હે પરમહંસો ! સ્ત્રીરૂપી તરવારે કરીને કોણ હણાણો નથી ? ને હે પરમહંસો ! દુઃખ દેવાને અર્થે જોબન અવસ્થાતે ચડતું પગથિયું છે; તે માટે તપે, વ્રતે, યોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ જોબન અવસ્થા તરવી, ને ભગવાનમાં જીવ જોડવો. ।।૧૮૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૪

હે પરમહંસો ! શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાંજ છે. તે માટે સામું જોઇ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઇએ તેમાં નથી આવતી. આ ટોડાં સારે છે તેમાં નથી આવતી ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભારતા જાય ને ટોડાં લાવતા જાય તો એમ જ થાય; મરને એક ટોડું ઓછું આવે, પણ એવા સ્વભાવ પાડેલ નહિ. આવાં તો બ્રહ્માડંમાં એક લાખ-કરોડ કારખાના ચાલતાં હશે એમાં શું પાકયું ? આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાનછે, તેણે શું થયું? માટે ભગવાન ભજયામાં સુખછે. ।।૧૮૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 237
Powered By Indic IME