વારંવાર અંતરદષ્ટિ કરવી જે, ‘આ તે હું શું કરવા આવ્યોછું ને શું થાય છે ?’ ને દેહ ઉન્મત્ત છે, ઇન્દ્રિયો ઉન્મત્ત છેતે સારુ પ્રથમ ભકિત કરવી; કેમ જે, મહારાજ ભકિતવાળા ઉપરબહુ રાજી થાતા ને થાળ આપતા. અને ભકિતએ કરીને, વ્રત ઉપવાસે કરીને, તપે કરીને નિર્દય થકા ઇન્દ્રિયો ને દેહને દંડદેવો; ત્યારે ભગવાન ભજવા દે છે ને ભગવાન રાજી થાય છે.પ્રકૃતિપુરુષ સુધી પંચવિષયરૂપી હોળી લાગી છે તે કૂટેછે. મહારાજ કહે,‘પંચવિષયરૂપી પાતાળ ફાટ્યાં છે, તે પાણીએ ભરવા માંડે પણ ભરાય નહિ. ‘વેરી ઘર માંહિ તેરે જાનત સ્નેહીમેરે,’ તે માટે માયિક ધૂળ જેવા પંચવિષય તેનો ત્યાગ કરીદેવો ને આને આ દેહે ખોટા કરી નાખવા ને મળવત્ કરીને સર્વને નાશવંત ને તુચ્છ જાણવા. એવી રીતે દેહ, લોક, ભોગ,દેવતાના લોક એ સર્વનો નિષેધ કરવો, તેણે કરીને વૈરાગ્યને પમાય છે. ને તેને પામીને અંતરદષ્ટિ કરવી, આ લોકમાં શોમાલ છે. .. ને આ વાડી લીધી છેતે શું, પાણા ને કાંટા છે, અમનેતો કાંઇ માલ જણાણો નહિ, પણ આ બજારના કાંટા કરતાંએ સારા છે. અને શહેર સેવવે કરીને પણ બહુ જ બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. ને શહેર કરતાં ગામડું સારું; કેમ જે, ગામડામાંએકવાર હોળી ને શહેરમાં બારેમાસ હોળી ને બારેમાસ દીવાળી,ને ગામડામાં વિવાહ હોય ત્યારે વિવાહ ને શહેરમાં બારેમાસ વિવાહ, પણ એમાં કાંઇ માલ નથી. ।।૭૫।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)