Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૭

વળી, જે સ્વામીને ભોગવવાનાં પદાર્થ તે સેવક ન ભોગવે.તે જયારે રામચંદ્રજી ધરતી ઉપર સૂતા, ત્યારે ભરતજી એક હાથધરતી ખોદીને સૂએ ને શિવજી પણ ભગવાનને ભોગવવાનાંપદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, એક ઉખેડે ને એક ચોંટાડે. ।।૫૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૮

આ સત્સંગમાં ત્રણ પ્રકાર છે, સત્સંગી હોય તેને કુસંગીકરી નાખે, અંતરદષ્ટિ કરતો હોય તો બાહ્યદષ્ટિ કરાવે નેવ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે; એવા પણ મંદિરમાંછે, માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ ને એક અર્થારામ એવા છે. ને જો તે બેની વચ્ચે કોઇ પથારીકરે, તો છ મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે; તેને પણઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાસિયાની ઘોડ્યે અંતરમળવા દેવું નહિ. ને અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું.એ બેયને મૂકીને આપણે તો આત્મારામ થાવું. ।।૫૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૯

વળી ખાધાનું, પથારી, ચેલા ને પદાર્થ તેને અર્થે જે ઉદ્યમએ કાઇં સાધુનો માર્ગ  નહિ. એ માર્ગચૂકયા તો વળે વળી ગઇ,તે માટે જ્ઞાન શીખવું, તે વિના બીજું કાંઇ રાત્રીપ્રલયમાં નહિરહે. ને જ્ઞાન તો મહાપ્રલયમાં પણ જાવાનું નહિ; ને તે જ્ઞાનતો આપણે છે. આ આમાં આટલું રહ્યા છીએ ખરા, પણ વનમાંરહિએ તોપણ સુખ રહે; ને એક ટાણું રોટલો જોઇએ ને એકગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઇએ. વનમાં રહેતા ત્યારે આગોદડીભર રહેતા; તેમાં ટાઢ્ય હરે, તડકો હરે ને વરસાદ પણબે પછેડીવા હરે; પછી શું જોઇએ ? એવા સ્વભાવ પાડ્યા હોયત્યારે થાય; નીકર તો જેમ – ‘આસનથી ઉઠાડતાં જાણે જગાડ્યોમણિધરજી’ નાગને છેડે તેમ થાય. માટે જ્ઞાન શીખવું. ।।૫૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૦

જમે ભગવાન કરે તમે થાય. આ અમને કઠોદરથયું હતું, તે કોઇને ન મટે નેતે મટ્યું;ને આવરદાપણ પચવીશ વર્ષથયાં નથી. ને આ બે વર્ષ  થયાં એટલે સવંત્ ૧૯૧૮ માંમૃત્યુ આવીને પાછું ગયું,તે જમે ભગવાનને ગમતું હશે તમે થાશે. ।।૬૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૧

જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી. નેઆ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે. ને અજ્ઞાનેકરીને તો એમ થાય. તે શું જે,‘ખટરસમાં રહ્યા ને જલેબીમાંગયા!’ પણ આજ્ઞા કરે તેમ રહેવું તે – થરથર ધ્રૂજત રહત વચનમેં શશી અરુ સુરા; થરથર ધ્રૂજત રહત વચનમેં કાળ હજૂરા. માટે આજ્ઞામાં સુખ છે, ને કર્મવશે કરવું પડે છે તે કરતાંજો આજ્ઞાએ કરે તો એના જીવમાં સુખ થાય. ।।૬૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬ર

આ ભગવાન તો જેમ – કિયાં કીડી કરી મેળાપ, ભેળું થાવા ભારે ભેદ છે રે; કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે. એવા મળ્યા છે. માટે સો વાતનું ગમતું મૂકીને આજ્ઞાપ્રમાણે વર્તવું. ‘સો માથાં જાતાં રે સોંઘા છોગાળા’ બીજું ‘એકશિરકે વાસ્તે કયું ડરત હે ગમારા ?’ હવે તો ખરેખરું મંડવું,‘સતી મટી કૂતી કાવે’ એ કીર્તન બોલીને કહે કે એમ પાછાપગ ભર્યે શું થાય ? તે સારુ સન્મુખના લેવા. ।।૬૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૩

શાસ્ત્રમાં મુખ્ય ‘અહિંસા ને બ્રહ્મચર્ય’ એ બે ધર્મ કહ્યાછે; તે અહિંસા તે શું ? તો કાંઇક પદાર્થ જોતું હોય ને ગૃહસ્થપાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઇ. ને કોઇપદાર્થ ન જોઇએ ત્યારે અહિંસા પળે, ને કોઇએ ન કચવાય,ને અહિંસા ને બ્રહ્મચર્ય તો નેત્ર, કાન, નાક, હાથ, પગ આદિકઅંગ સાચવીએ ત્યારે પળે. ને હાથ, પગ આદિક ઇન્દ્રિયોએસહિત આવો દેહ કયાંથી મળે ! આતો ભગવાનને ભજયાનોસાજ છે, તે વૃથા ખોઇ નાખવો નહિ. લેખે લગાડે તેને ડાહ્યાકહ્યા છે, નીકર તો પશુ જેવા જાણવાં.આ દેહ તો હમણાં પડ્યો જાણવો ! ને જેમ આઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઇ જાય છે,પણ આ જીવ તો ભૂલી ગયો છે, તે ઉપર ‘ગર્ભવાસમાં તું શુંકહીને આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે, શું પછી લાકડીલઇને મારે ? ને જીવ તો જાણે છે જે, આ બધું કોઇકને માથેછે, પણ એમ નથી જાણતો જે, મારે માથે છે. ને ગર્ભવાસ,જન્મ, મરણ, ચોરાશી એ તો ઊભાં છે. માટે આવો સમાગમકરીને એને ટાળી નાખવાં, ત્યારે નિર્ભય થાય. ।।૬૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૪

મહારાજ કહે જે,‘અમને બુદ્ધિવાળો ગમે છે, કેમ જે, એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય , ભયાભય, બંધમોક્ષએને જાણે; જે આ તે કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થાશે ને આમાંથી મોક્ષ થાશે.’ તે કૃપાનંદસ્વામી સરખા તો ચિકિત્સા કરે જે, આમાંથી આ થાશે. ।।૬૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111
Powered By Indic IME