આણંદજી સંઘાડિયાને ત્યાં મહારાજ બેઠા હતા તેકહે,‘માયાનું રૂપ કહીએ ?’ તો કહે,‘કહો.’ પછી કહે કે,‘શાહુકારનો દીકરો મરે તો તમારે કેમ ?’ તો કહે ‘બહું ભૂંડું કહેવાય.’ પછી કહે કે,‘આ રાજાનો દીકરો મરે તો ?’ તો કહે કે,‘હું બહુ ખરખરો કરું.’ પછી કહે કે,‘આ તમારો મરે તો ?’‘ત્યારે તો તે ઘડીએ સંઘેડો બંધ રહી જાય ને ભૂંડું થાય’ એમછે. પછી મહારાજ કહે ‘હવે મોહનું રૂપ કહીએ છઈએ જે,બ્રહ્માથી લઇને સહુને લોહીમાં મોહ થાય છે. એકલું કરકું હોયકે પત્ત ઝરતું હોય તો ન થાય, જીવમાત્રને કરકે નજર છે. જેમ ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે; જાઇે મારણને મન માને રે, અન્ય જોવા આંખ્ય મીંચી છે. જેમ સુખડ ઘસીને ભગવાનને ચડાવે છે તેમ દેહને ઘસીનેકરકાને ચડાવે છે. અને આ જીવ ચામડિયો છે ને ચમારનેઘેર અવતર્યો હોય, તો ત્યાં પણ આનંદ છે ને ત્યાં કુંડ રાતદિવસગંધાય એમ આ દેહ પણ ચમારના કુંડ જેવો છે, તેમાંજીવ આનંદ કરીને બેઠો છે પણ ગીંગાની ઘોડ્યે(જેમ) ગુલાબની સુગંધી લે નહિ. આ દેહમાં તો હાડકાં, પરું, પાચ , લાળ ને લીંટ ભર્યા છે. નવ દ્વારે નરક ઝરે છે ને કેવળ નરકનીકોથળી છે, ઉપર ચર્મ મઢ્યું છે, ને ક્ષણભંગુર કહ્યો છે; માટેકાંઇ જ માલ નથી, તેમાંથી હેત તોડીને આત્મામાં કરવું. જેમઓલી સમળીએ માંસનો લોચો રાખ્યો હતો ત્યાં લગી […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)