Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૧

સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલા; તેણે કહ્યું જે,‘અહો મહારાજ ! જેવી ગોપી-ગોવાળને પ્રાપ્તિ થઇ હતી તેવી અમને થઇ છે.’ ત્યારે મહારાજ કહેઃ ‘ના ના, ગોપી-ગોવાળને જે મળ્યા હતા તેના ભકતને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં. ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઇ છે. ।।૪૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪ર

ભકિતએ કરીને મહારાજ રાજી થાય છે, ને તેની આજ્ઞા છે એટલા સારુ કરીએ છઈએ; પણ એ સ્થૂળ માર્ગ છે. તેણે કરીને તો મોટાં લોકાંતરને પામશે; પછી મોટાના મોટા વૈભવને મોટા પાપ. તે જુઓને, આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતાં હશે, એટલુ ગરીબ આખા ભવમાં પણ ન કરે.માટે આને આ દેહે કરીને ભકિત પણ કરતા જાવું, ને તે કરતાં થકા પણ અનુવૃત્તિ આત્માને વિષે રાખે જાવી.આત્મનિષ્ઠા જેવી કોઇ વાત નથી તે મનન દ્વારાયે ‘હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિષે બેઠા છે’ એમ કરતા જાવું, એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભકિત છે, તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોરે કહી જે ભકિત તે રૂપ સ્થૂળ માર્ગ તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ એવી મુકિત ન થાય. અને એવી ભકિત તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે છે, તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભકિતમાં માન મળે છે તેણે કરીને થાય છે ને કરે છે, પણ એણે કરી સિદ્ધ ન થાય. ‘કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત’ માટે જે દી તે દી આવાત કરશે ત્યારે છૂટકો છે. ।।૪૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૩

દૈવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે જે, ગાડી,પુસ્તક, ચેલો ને હવેલી એને વિષે માલ મનાણો છે, પણ તેણે કરીને શું થાશે ? બંધન થાશે, માટે એમાં કાંઇ માલ નથી. રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઇ શાહ ભયો કહા બાત બઢી, પતસાહ ભયો કહા આન ફિરાઇ; દેવ ભયો તોઉ કહાં ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઇ, બ્રહ્મમનિ સત્સગં બિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઇ ? ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઇ સાધુનો માર્ગ છે ? અને આસન સારુ, પથારી સારુ, ચેલા સારુ, ગાડી સારુ ને એવાં તુચ્છ પદાર્થ સારુ કરીને મોટી ખોટ ખાવી નહિ, ને સર્વ  દોષ રહિત થઇને રૂડાં સાધુને સેવી ને સાધુતા શીખવી, એમાં જ માલ છે, નીકર તો મોટપ ને માન સારુ કરીને ગાડી કે ઘોડું ન મળે કે દુ:ખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે: મોટા થાવાનું મનમાં રે, દિલમાં ઘણો ડોડ ;તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ ?,ભૂંડા ઘાટ ઊઠે છે ભીંતરે રે, જે ન કહેવાય બા’ર, એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર.એવું છે; માટે જ્ઞાન શીખવું તેણે કરીને કોઇ વાતની અપેક્ષા ન રહે. જો જ્ઞાન ન હોય તો તો મૂર્ખાઇએ કરીને અસદ્ યુકિતઓ ઉઠાવે છે. તે એમ સૌ ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 171

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૪

મહારાજે કીડિયારાના રોગનું (પ્ર.પ્ર.૧૮માં) પણ કહ્યું છે,માટે તેનો ત્યાગ કરીને વિવેક દશમો નિધિ કહ્યો છે તેનું ગ્રહણ કરશો તો સુખ થાશે. અહો ! જીવમાં અજ્ઞાનનો પાર નથી કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શુંકહીએ ? ઓલ્યા જગતની પેઠે સાંજે કથામાં બે વચનામૃત માંડમાંડ વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય. માટે વિચારીને વર્તવું. ।।૪૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪પ

આ તો ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ અને લોકમાં પણ કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્ન’ તે કાં તો ભકિતરૂપે માયાને પ્રેરે ને એકાતં માં ધ્યાન કરાવે,એમ કરતે કરતે પાડી નાખે છે. તેમાટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય ? એમ મમત્વ બંધાય છે. ।।૪૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 136

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૬

જો ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી જ ભેળી કરે, ને વાણિયો મોટેરો હોય તો દ્રવ્ય ભેળું કરે, ને બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળાં કરે, ને રબારી મોટેરો હોય તો ઢોરાં ભેળાં કરે; પણ કોઇ એકાંતિક સાધુ ન થાય. માટે એમાં કાંઇ માલ નથી. તે સારુ આવા સાધુનો સમાગમ કરી લેવો ને સાધુ થાવું ને રૂપિયા પડ્યા રહેશે, બીજા પદાર્થ પણ પડ્યા રહેશે ને ચાલ્યું જવાશે. ને જે ભકિત કરે કે રાતમાં ધ્યાન કરે તે મનમાં જો એમ જાણે જે,‘જો આ સર્વ ખાઇ ખાઇને સૂઇ રહ્યા છે,હું એક કરું છું.’ તો બધુંય બળી ગયું. ને મોટપ પામીને ચેલો ચેલો કરે, તે ચેલો-બીજું તો શું કહીએ ? તૂંબડી તો એની એ પણ સાકર માંહી નાંખીને છાની પાય, એમ ચોરીઓ કરે અને ચેલો એમ ન કરે તો પંડે છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે. એમ યુકિતઓ કરતે કરતે જન્મ ખોઇ નાખે. એવી યુકિતમાં બેયને સમું , ચેલાને પણ ભેળું કામ થાય. તે ઉપર – “છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બે ચાર; મોટાની મો’બત મૂકશે રે, જેને કેનો ન રહ્યો ભાર.શ્રીજી પધાર્યા સ્વધામમાં રે…” એ બોલ્યા ।।૪૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૭

અને કહ્યું કે,‘ચેતના મુખી તે સદા સુખી’ એવી રીતે કેટલાક કહીએ ? એ કહ્યાં તેથી ઘણાં ઝાડ હૈયામાં ઊગ્યાં હોય પછી શું ધ્યાન-ભજન થાય ? બીજાનું જોઇને બેસે પણ થાય નહિ. તે એક બાવો ગુલાબગર હતો, તે સૌનું જોઇને માથે ઓઢીને બેઠો, ત્યાં તો રૂપિયા, ઢોરાં ને ઉઘરાણી તે સ્ફૂર્યા ,એટલે આકળો થઇને ઊઠી ગયો ને કહે,‘ઊઠો ઊઠો, શું બેઠાછો ? આટલું આ કરવું છે તે કરીએ,’ એમ થાય છે માટે ટીખળ ઘાલવા નહિ. ।।૪૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૮

વળી મહારાજે તો ‘પંપાળીને રાખે તેની પાસે રહેવું નહિ’ એમ કહ્યું છે. પછી સૂઝે તેમ કરો. અમે તો આત્માનંદસ્વામીબહુ ટોકતા તેની ભેળે રહ્યા; ને બ્રહ્માનંદસ્વામી ભેળે રહેતા તે નીકળ્યા. ને તે કહ્યા વિના ખોટ જાય નહિ. ને જયાં સારી સારી રસોઇ મળે ત્યાં વારે વારે જાય; પણ કેવળાત્માનંદસ્વામીતો જો કોઇ પાકી રસોઇનું કહે, તો તેને કહે જે,‘જૂનાગઢથી સ્વામીનો કાગળ મંગાવ્યો છે. તે આજ્ઞા આવશે ત્યારે લેશું,’એમ બહાના કાઢીને ચોખ્ખી ના કહેવી ને દાળ-રોટલા લેવા; ને પછી બે દિવસ રહીને ભાગી નીસરવું પણ ગળ્યાં, ચીકણાં,ચોપડ્યાં, વઘાર્યા, ધુંગાર્યા તે ખૂબ તડૂસીને સૂતા, તેણે કરીને વધશે કામ ને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રી એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવુ, એમ મહારાજે કહ્યું છે તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. ‘બ્રહ્માનંદ રહેનો ભલો રુખમેં ’એમ કહ્યું છે. તે ત્રણ ગ્રંથથી વધુ લૂગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થાશે ને એનો તો આગળ જવાબ લેવાશે. ।।૪૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 135
Powered By Indic IME