કોઇ ઐશ્વર્યને ભલા થઇને ઇચ્છશો મા, ને જો આવે તો આપણે કઇંક કરી નાખીએ એમ છીએ; માટે એમાં કાંઇ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયુંકે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે,તે એક વાણિયે પરદશે માં જઇને કરોડ સોનાનાં રાળ ભેળાં કર્યા ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું ત્યારે વાણિયો કહે ‘અહો !થયું ને માથે.’ પણ પછી કહે ‘જન્મ્યા ત્યારે એ કયાં હતાં ?’તેમજ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું, તે તેણે ખંભે નાખ્યું હતું, પણ તે પાછું પડી ગયું. પછી થોડે ચાલ્યો ત્યારે ખબર પડી, ત્યારે કહે જે, ‘કાંઇ નહિ, મુજકું રસા પાયા જ નહોતા’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઇના વચનામૃતમાં (પ્રથમ.૭૦) પણ કહ્યું છે જે, “ઘરમાં દશ માણસ હોઇએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડાછે ?” માટે એમ સમજવું. ।।૨૯।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)