આ ગંગાજી પર્વત ફાડીને સમુદ્રને મળ્યા, તે તો મળે; કેમ જે, પાણી ઝાઝું થાય ત્યારે એમ થાય; પણ આ જે પંચવિષયતે તો એથી આકરા છે. કેમ જે, બ્રહ્મા, શિવ સરખાને ભૂલાવ્યાને ઇન્દ્રને હજાર ભગ થયા ને ચંદ્રમાને કલંક લાગ્યું, એવા મોટા મોટાને તથા રાવણાદિકને દુઃખ થયું ને સૌભરિને છેતર્યાને પરાશર ને એકલશૃંગી એ આદિકને લૂંટ્યા. તે માટે તેનો જોગ જ ન કરવો. ને આ તો મહારાજે પ્રગટ થઇને રાખ્યું છે, આવું તો કોઇએ બાંધેલ નહિ ને મોટા મોટા અવતારે પણ કજિયા કર્યા છે; પણ આવો માર્ગ તો કોઇએ પ્રવર્તાવ્યો જ નથી. તે મહારાજે વેદરસમાં કહ્યું છે જે,‘હે પરમહંસો ! આ સ્ત્રીરૂપી તરવારની જે તીખી ધારા, તેણે જે પુરુષ નથી હણાણો તે તો દેવનો પણ દેવ છે. માટે એ ધારા કાંઇ થોડી નથી. એ ધારા તો બહુ જ આકરી છે; માટે તેનો જોગ જ ન થાવા દેવો. ।।૧૫।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)