પછી વળી સ્વામીએ એમ વાત કરી જે,”અમે નાના હતા ત્યારે એક માર્ગી સાધુનો મહંત સભા કરીને બેઠેલ. ત્યાં જઇને પાધરી ડોશીઓને ખેસવીને તે મહંતને પ્રશ્ન પૂછ્યું જે,‘કાર્યશું ને કારણ શું ?’ ત્યારે તે કહે જે,‘અમને એવું આવડે નહીં ને મને તો કોઇએ શીખવેલ નથી.’ પછી અમને કહે જે, ‘તમે ઉત્તર કરો.’ ત્યારે મેં કહ્યું જે,‘ભગવાન કારણ ને આ સર્વ સૃષ્ટિતે કાર્ય. ત્યાં તો સૌ ભોંઠા પડી ગયા એમ સભા જીતી.’।।૨।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)