શ્રીજીમહારાજે આષાઢી વર્ષ ૧૮૭૬ના ભાદરવા સુદિ એકાદશીના રોજ ગઢડામાં ભકિતબાગમાં હરમાના વૃક્ષતળે બેસીને શુકાનંદમુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપખંડ, યુગપરિમાણ અને પ્રલયવર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી, તેનાથી અન્ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહિ કરતા મોક્ષરુપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો. તે વાત હરિલીલામૃતના ૬ કળશમાં ૧૧-૧૨ વિશ્રામમાં વર્ણવી છે. આ પત્ર તે જ આનુપૂર્વેવાળો હશે કે અન્યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગનો જાણી પૃથક્ છપાવ્યો છે. શ્રીમદ્ભાગવતાદિ સદ્ગ્રંથોને વિષે લખ્યું છે જે, ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણિ તુલ્ય છે. જે દેહને ઈન્દ્રાદિક દેવતા ઈચ્છે છે. તે દેવતાને વિષય ને વૈભવવિલાસ ને આયુષ, તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થાતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિષે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે કોઈ દેહને વિષે થાતું નથી. એ હતુ માટે સર્વ દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિષે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે, તેને તુલ્ય બીજું કોઈ ચૌદલોકમાં સ્થાનક નથી. તે ચૌદલોકનાં નામ- આ મૃત્યુલોક છે તેથી ઊઘ્ર્વ ૬ લોક છે. તેમાં પ્રથમ ભુવર્લોક છે . તેમાં મલિન દેવ રહે છે. તેથી ઊઘ્ર્વ બીજો સ્વર્ગલોક છે ૨. તેમાં ઈન્દ્રાદિક દેવ રહે છે. તેથી ઊઘ્ર્વ ત્રીજો મહર્લોક છે ૩. તેમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. તેથી ઊઘ્ર્વ ચોથો જનલોક […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)