Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા અંત્ય ૩૨ : માહાત્મ્યને ઓથે પાપ કર્યાનું

સંવત્ ૧૮૮૫ના મહા શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળમુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે મુકતાનંદસ્વામી આદિક સાધુને કહ્યું જે, ‘વિષયા વિનિવર્તન્‍તે નિરાહારસ્‍ય દેહિન:’ એ શ્લોકનો અર્થ કરો.” ત્‍યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્‍યાર પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો તો અમે એમ નિશ્વય કર્યો જે, યુવા અવસ્‍થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુકતાહાર વિહારપણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્‍યારે દેહનું બળ ક્ષીણ થાય, અને ત્‍યારે જ ઈન્‍દ્રિયો જિતાય, તે વિના ઈન્‍દ્રિયો જિતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભકિતને વિષે રૂચિ સહિત રાખે ને ભકિતમાં પ્રીતિ રાખે એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્‍સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્‍યારે જરૂર ઈન્‍દ્રિયોને વશ થઈ ને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્‍ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્‍યારે બમણો વાળે, માટે એ તો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 232

ગઢડા અંત્ય ૩૩ : ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું

સંવત્ ૧૮૮૫ના ફાગણ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, “ધન, દોલત, સ્‍ત્રી અને પુત્ર આદિક જે પદાર્થ તેણેકરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ અને એને અર્થે કોઈને વિષે આસ્‍તા આવે નહિ, એવા તો સત્‍સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહિ.” એમ કહીને વળી બોલ્‍યા જે, “એવા તો આ મુકતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્‍કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ. અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે તો, જે એમ સમજતો હોય જે, આ દેહથી નોખો જે આત્‍મા તે હું છું, ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને તે મારા સ્‍વરૂપને વિષે પ્રત્‍યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે. ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્‍ય છે, ને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્‍ય હોય ને ભગવાનનું માહાત્‍મ્‍ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહિ, પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમજે એ એવા મોટા છે તો પણ એમને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 225

ગઢડા અંત્ય ૩૪ : ભગવાનને વિષે જ વાસના રહ્યાનું

સંવત્ ૧૮૮૫ના ચૈત્ર શુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે, ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેનાં બે સાધન જણાય છે, એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્‍ય એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતાં હોય ને ભગવાનનો નિશ્વય ને વિશ્વાસ તો હોય એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે, એવો ત્રીજો કોઈ ઉપાય છે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા છે, “એ પ્રશ્ર્ન ખરો, ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરૂં. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્‍ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુ:ખીયો વર્તે, ને ભગવાનનો નિશ્વય છે માટે મરે ત્‍યારે એનું કલ્‍યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્‍ય પદાર્થની વાસના ટાળ્‍યાનાં જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે તે નિયમ કયા, તો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 270

ગઢડા અંત્ય ૩૫ : પ્રકૃતિ મરોડયાનું – ભકતના દ્રોહથી ભગવાનના દ્રોહનું

સંવત્ ૧૮૮૫ના ચૈત્ર શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખાર-વિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ! જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપત્‍કાળ આવી પડે ને દેહને સુખદુ:ખ, માન અપમાન, દેશકાળનું વિષમપણું ઈત્‍યાદિકે કરીને જાય નહિ, તે કેમ જણાય જે, એને એવો આશ્રય છે, અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે ભક્તને એક ભગવાનને વિષે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય. ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્‍છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્‍યારે જે મુંઝાય નહિ ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહિ. ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરલપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપત્‍કાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે.” ત્‍યારે વળી શુકમુનિએ પુછયું જે, “મુંઝાતો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 211

ગઢડા અંત્ય ૩૬ : કલ્યાણના અસાધારણ સાધનનું

સંવત્ ૧૮૮૫ના વૈશાખ શુદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મઘ્‍યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્‍યે પ્રશ્ર્ન કર્યો જે, “આ જીવને કલ્‍યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્વય કલ્‍યાણ થાય, ને તેમાં બીજાં કોઈ વિઘ્‍ન પ્રતિબંધ કરે નહિ ? તે કહો તથા એવા કલ્‍યાણના સાધનમાં  મોટું વિઘ્‍ન શું છે ? જે જેણે કરીને તેમાંથી નિશ્વય પડી જાય, તે પણ કહો,” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્ર્નનું સમાધાન ન થયું. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કલ્‍યાણનું અસાધારણ સાધન તો એ છે જે, પુરૂષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેનાજ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્‍યક્ષ ભગવાનનો જેતે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મ સહિત તે ભગવાનની ભકિત કરવી, ને તેવી ભકિતએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્‍યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજાં કોઈ વિઘ્‍ન પ્રતિબંધ કરતાં નથી અને એ સાધનને વિષે મોટું વિઘ્‍ન એ છે જે, શુષ્કવેદાંતિનો સંગ કરવો,’ અને જો એનો સંગ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 193

ગઢડા અંત્ય ૩૭ : દરિદ્રપણામાં પણ ગમતી ચીજો સાંભરે તેનું

સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૩-ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્‍યે એમ વાર્તા કરી જે, “જેને ભગવાનના સ્‍વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહિ. ત્‍યાં દૃષ્ટાંત છે – જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેસરી શાહુકાર હોય ને તેને પ્રારબ્‍ધાનુસારે તે અધિકાર છૂટી ગયો હોય ને દરિદ્રપણું આવી ગયું તેણે કરીને ખડધાન્‍ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠાં – બોરાં, બાફેલી પીપર્યો ઈત્‍યાદિક જેવું તેવું ખાવા મળે ત્‍યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્‍યવાળી ચીજો કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભરી આવે ને મનમાં એમ ઘાટ કરે જે, ‘એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉ છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્‍યારે તે સાંભરી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્‍યારે પણ તે જ ખાય, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 254

ગઢડા અંત્ય ૩૮ : સાંખ્યાદિકનું – સદાય સુખિયાનું

સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧૪-ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે સાંખ્‍યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્વય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્‍પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્‍યા છે. “કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્‍ય છે ને દિવ્‍ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્‍ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જેતે તે મુક્ત પુરૂષ, તેમણે દિવ્‍ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્‍યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વેોપરી જે પુરુષોત્તમભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્‍યાણને અર્થે આ પૃથ્‍વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઈષ્‍ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્‍યક્ષ પુરુષોત્તમભગવાન તેના સ્‍વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 235

ગઢડા અંત્ય ૩૯ : વિશલ્યકરણી ઔષધિનું

સંવત્ ૧૮૮૬ના અષાઢ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્‍સંગી આગળ વાર્તા કરી જે, “ભગવાનની માયા તે કઈ છે ? તો દેહને વિષે અહંબુદ્ધિ, ને દેહસંબંધી પદાર્થને વિષે મમત્‍વબુદ્ધિ,” એ જ માયા છે. તે એ માયાને ટાળવી; અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે, તેને આજ સમજો કે ધણે દિવસે કરીને સમજો.  અને હનુમાન, નારદ પ્રહ્યાદ એ જે મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ૨ભગવાન પાસે એમ જ માગ્‍યું છે જે, અહંમમત્‍વરૂપ માયા થકી રક્ષા કરજો, અને તમારે વિષે પ્રીતિ થજો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો. અને એ સાધુને વિષે હેત ને મમત્‍વ થજો.’ માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું, અને એનો શ્રવણ, મનન, નિદિઘ્‍યાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્‍મનિષ્‍ઠાનું બળ તથા ભગવાનના માહાત્‍મ્‍યનું બળ. એ બે બળ જોઈએ. તે આત્‍મનિષ્‍ઠા તે શું ? તો પોતાના આત્‍માને દેહથી પૃથક્ જાણવો અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્‍પર […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 227
Powered By Indic IME