Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા અંત્ય ૮ : સદાય સુખિયા રહેવાનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેવો તેણે ઉત્તર કર્યો, પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્‍ય હોય, અને બીજો અતિશે દ્રઢ સ્‍વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વે ઈન્‍દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 309

ગઢડા અંત્ય ૯ : જાણપણારૂપ દરવાજાનું

સંવત્ ૧૮૮૩ના આસો શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા, અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્‍થ્‍િાતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વેને કહીએ, તેને સાંભળીને ૧પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્‍થ્‍િાતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે ૨જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વે સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, કોઈ રાજા પાસે વિઘ્‍ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પુગવા દઈએ નહિ. એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઉભા રહે છે, તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 290

ગઢડા અંત્ય ૧૦ : વૃંદાવન અને કાશીનું

સંવત્ ૧૮૮૩ના આસો વદી ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત  વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્‍સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમે શ્રીજી મહારાજ પાસે એક માઘ્‍વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્‍યો. તેને શ્રીજીમહારાજે પુછયું જે, “તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે, ‘મહાપ્રલયમાં પણ વૃન્‍દાવનનો નાશ થતો નથી.’ અને શિવમાગર્ી હોય તે એમ કહે છે જે, ‘મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો, એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી, શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્‍વી આદિક પંચભૂતનો અતિશે પ્રલય થઈ જાય છે ત્‍યારે વૃન્‍દાવન ને કાશી તે કેમ રહેતાં હશે ?” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્‍તક મંગાવીને એકાદશસ્‍કંધમાંથી તથા દ્વાદશસ્‍કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્‍યો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં, વૃન્‍દાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્‍યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે, વ્‍યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી. અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્‍યાસજીના કરેલા ગ્રન્‍થને આશરીને પોત […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 286

ગઢડા અંત્ય ૧૧ : સીતાજીના જેવી સમજણનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ શુદિ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે એક પ્રશ્ર્ન પુછીએ જે, ઈન્‍દ્રિયો ને મન એ બેને જીત્‍યાનું એક સાધન છે, કે ઈન્‍દ્રિયોને જીત્‍યાનું જુદું સાધન છે, મન ને જીત્‍યાનું જુદું સાધન છે ? એ પ્રશ્ર્ન છે.” પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્‍યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્‍ય, સ્‍વધર્મ, તપ અને નિયમ, એ ચાર સાધને કરીને ઈન્‍દ્રિયો જીતાય છે, અને ભગવાનની માહાત્‍મ્‍યે સહિત જે નવધા ભકિત તેણે કરીને મન જીતાય છે.” પછી મુકતાનંદસ્વામીએ પુછયું જે, “જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “જેવી પોતાના દેહને વિષે આત્‍મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્‍મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એજ એનો ઉત્તર છે.” પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે,”ગમે તેવા ભૂંડા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 228

ગઢડા અંત્ય ૧૨ : કરામતનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, ”જેને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છવું તેને કોઇ પ્રકારનું માન રાખવું નહિ જે, હું ઉચ્‍ચકુળમાં જન્‍મ પામ્‍યો છું, કે હું ધનાઢય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.” એવું કોઇ પ્રકારનું મનમાં માન રાખવું નહિ અને ગરીબ સત્‍સંગી હોય તેના પણ દાસાનુદાસ થઇ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્‍યો હોય ને તે સત્‍સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્‍યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઇ ઔષધે કરીને મટે જ નહિ. તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્‍યો હોય તેના હૃદયમાંથી કયારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્‍યા કરી હોય ને અનંત બાળહત્‍યા કરી હોય ને અનંત સ્‍ત્રી હત્‍યા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 195

ગઢડા અંત્ય ૧૩ : દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે તોરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને આગળ મુનિમંડળ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધિન છે તેનો એક નિર્ધાર રહેતો નથી. તે કયારેક સાજો રહે ને કયારેક કર્માધિનપણે કરીને માંદો થઈ જાય, ને કયારેક સ્‍વતન્‍ત્ર વર્તતો હોય ને કયારેક પરાધિનપણે થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને કયારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્‍યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહેજ નહિ. અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે કયાંઈક પરવશ રાખ્‍યા અથવા પોતાનાં મન ને ઈન્‍દ્રિયો તે ઈંગ્રેજ જેવાં જ છે તેણે જ પરવશ રાખ્‍યા, ત્‍યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્‍સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 208

ગઢડા અંત્ય ૧૪ : કાયસ્થના અવિવેકનું – લંબકરણનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર એારડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને મસ્‍તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, “કીર્તન ભકિતની સમાપ્‍તિ કરો ને પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને પુછયું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્‍તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ર્ન છે,” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એને વિવેક નથી, જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, “મારે તો બ્રહ્મચર્ય વ્રત છે તો પણ સ્‍ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી. તે એ બહુ ખોટું છે. અને તે સ્‍ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્‍મ ધર્યા ત્‍યાં ત્‍યાં સર્વત્ર પ્રાપ્‍ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્‍ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્‍યારે હજાર બકરીયોને પોતે એકલો ભોગવતો હશે. અને જ્યારે ધોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઈત્‍યાદિક પશુના દેહને પામ્‍યો હશે ત્‍યારે તેને વિષે પોતપોતાની જાતિની […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 207

ગઢડા અંત્ય ૧૫ : પાટો ગોઠયાનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે  મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુકતાનંદસ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી,” ત્‍યારે મુકતાનંદ સ્વામી બોલ્‍યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ઘ્‍યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્‍યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્‍યો હોય, તે સર્વની એને સ્‍મૃતિ થઈ આવે છે.  જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ધાયે આવ્‍યો હોય, ને તે ધાયલ થઈને પાછો ખાટલામાં આવીને સુવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્‍યાં સુધી ધાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ. અને જ્યારે પાટો ગોઠે ત્‍યારે ધાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે; તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા, તેને યોગે કરીને જીવને પંચ વિષયના જે ધા લાગ્‍યા છે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 180
Powered By Indic IME