સંવત્ ૧૮૮૨ ના ફાગણ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મઘ્યે શ્રીનરનારાયણના મંદિર આગળ વેદિને વિષે પાટ ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંઘ્યો હતો, ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખોસ્યા હતા, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા, ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંઘ્યા હતા, ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા, એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા જે, એક પ્રશ્ર્ન પુછું છું જે, “એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્ત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશે પ્રીતિએ યુક્ત વર્તે છે, એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે ? એટલે સંતમંડળે તો એમ કહ્યું જે, “ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો નાહીધોઇને […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)