Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા મઘ્ય ૬૬ : સદ્ગુરુના પ્રશ્નોનું – ગોળો ઝાલ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ વદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે વિરાજમાન હતો,અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ સરોદા ને દુકડ લઇને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તનભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ર્ન પુછવા છે.” એમ કહીને પ્રથમ આનંદસ્વામીને પુછતા હવા જે, “કોઇક એવો પુરૂષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેનેજ દેખે અને બીજો જે પુરૂષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તોપણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્‍યાગ કરીને કેવળ દોષ જ દેખે છે, એનું શું કારણ હશે ? જે, થોડી બુદ્ધિવાળોહોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સુઝતા નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી આનંદસ્વામીને જેવો સુઝયો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 175

ગઢડા મઘ્ય ૬૭ : ગંગાજળિયા કૂવાનું

સંવત્ ૧૮૮૧ના મહા વદિ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગંગાજળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દૂકડ સરોદા લઇને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભકિત  થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે સર્વે સંત પ્રત્‍યે પ્રશ્ર્ન કરીએે છીએે જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મુકીને બ્રહ્મરૂપ થઇને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્‍વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામીસેવકપણું રહે છે ? એ પ્રશ્ર્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્ર્નનો ઉત્તર તો તમે જ કરશો ત્‍યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્‍યા હોય જે, ભગવાન આટલી સામર્થિએ યુક્ત છે અને આટલી શોભાએ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 195

વરતાલ ૧ : નિર્વિકલ્પ સમાધિનું

સંવત્ ૧૮૮૨ ના કાતર્િક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો, અને ગુઢા રંગનો રેંટો કમરે બાંઘ્‍યો હતો, ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંઘ્‍યો હતો, ને ખભે કસુંબલ રેંટો જરકસી છેડાનો વિરાજમાન હતો, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંઘ્‍યા હતા, એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાવાળા શોભારામ શાસ્‍ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્‍યારે ગુણાતીત થાય, ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, ત્‍યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય?” પછી શ્રીજી-મહારાજ બોલ્‍યા જે. પ્રાણનો નિરોધ થાય ત્‍યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે તે કહીએ તે સાંભળો જે, શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે- “અત્ર સર્ગો વિસર્ગશ્વ સ્‍થાનં પોષણમૂતય: | મન્‍વન્તરેશાનુકથા નિરોધો મુકિતરાશ્રય: ||” એ શ્લોકનો એમ અર્થ છે જે, વિશ્વના સર્ગવિસર્ગાદિક જે નવ લક્ષણ તેણે કરીને જાણ્‍યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 297

વરતાલ ૨ : ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું – કાનદાસજીના પ્રશ્નનું

સંવત ૧૮૮૨ના કાર્તિક સુદિ ૧૩-તેરશને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને પીળા તાસતાનો (એક જાતનું રેશમી કાપડ-કિનખાબ-ભ.ગો.મં.પૃ. ૪૧૧૧) સુરવાળ પહેર્યો હતો તથા રાતા કીનખાબની ડગલી પહેરી હતી તથા મસ્‍તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાધ બાંધી હતી તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાંખ્‍યું હતું અને પાધને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા. ને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ-દેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછયો જે, “હે મહારાજ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય; ત્‍યારે કહેશો જે દ્રોહ તે શું ? તો જે આ સર્વ જગતના કર્તા-હર્તા ભગવાન છે તેને કર્તા-હર્તા ન સમજીએ ને વિશ્વના કર્તા-હર્તા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્‍વભાવને જાણીએ; એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાન સર્વના કર્તા-હર્તા છે તેનો ત્‍યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્‍વભાવ અને માયા; તેને જગતના કર્તા-હર્તા કહે છે; માટે એ ભગવાનનો અતિ-દ્રોહ છે. ત્‍યાં દ્રષ્‍ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 349

વરતાલ ૩ : ચાર પ્રકારના મોટા પુરુષનું

સંવત્ ૧૮૮૨ ના કાતર્િક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવડતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને મસ્‍તકને વિષે પાઘમાં તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્‍ય, ધર્મ અને ભગવાનની ભકિત એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય.અને આપણા સત્‍સંગમાં મોટો કરવા યોગ્‍ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્‍યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યાં તે તે એકના પેટામાં આવી જાય એવું એક કયું એ ચારેમાં શ્રેષ્‍ઠ છે. ?” ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! એવો તો એક ધર્મ છે, તે ધર્મ હોય તો ત્રણે વાનાં તે પુરુષમાં આવે.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ધર્મ તો કેટલાક ૧વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્‍સંગમાં મોટો કરીશું ? ” પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જો માહાત્‍મ્‍યે સહિત ભગવાનની ભકિત હોય, ને આત્‍મનિષ્‍ઠા, ધર્મ ને વૈરાગ્‍ય એ સામાન્‍યપણે હોય તો, પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 317

વરતાલ ૪ : ફુવારાનું

સંવત્ ૧૮૮૨ના માગસર શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવડતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર   ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “ભકિતમાર્ગને વિષે પ્રવત્‍યર્ો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે એક સાધનને કર્યા થકી જેટલાં કલ્‍યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન, કર્મ, વચને રાખે તો જેટલાં કલ્‍યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાયછે.” એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ર્ન પુછતા હવા જે, “ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્‍યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવનારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિરાખે ? અને કેમ પોતાના મનને ચલાવે ? ને તે મન ભેળી કેમ મૂતર્િને રાખે ? અને કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ? ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે ? અને નિદ્રારૂપી લય ને સંકલ્‍પ વિકલ્‍પરૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે ? એનો ઉત્તર કહો.” પછી મુકતાનંદ સ્વામીએ તથા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 420

વરતાલ ૫ : ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિષે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સુક્ષ્મ એવાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યાં હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્‍છ ધારણ કર્યા હતા, અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ર્ન કરો જેણે કરીને સૌનું આળસ ઉડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે– “દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્‍યયા | મામેવ યે પ્રપદ્યન્‍તે માયામેતાં તરન્‍ત્‍િા તે ||” એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરૂષ મને પામે તે દુ:ખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે.’ ત્‍યારે જેને ભગવાનની પ્રાપ્‍તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતાં થકાં કાંઈક અંતરમાં સંકલ્‍પ વિકલ્‍પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ પોઢયા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે,” માયાના જે ત્રણ ગુણ છે તેમાં […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 367

વરતાલ ૬ : ચિમનરાવજીના પ્રશ્નનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા,ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચિમનરાવજીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિષે એ જીવોને સ્‍થૂલ, સૂક્ષ્મ દેહની પ્રાપ્‍તિ થઈ. તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્‍છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્‍યતા થાય,  અને જો ભગવાનની ઈચ્‍છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે. માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ પ્રશ્ર્ન તમને પુછતાં આવડયો નહિ. કેમ જે, જે કારણ શરીર છે તેને વિષે સ્‍થૂલ, સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે. માટે એને કારણ શરીર કહે છે. અને એજ કારણ શરીર છે તે અવિદ્યાત્‍મક છે, ને અનાદિ છે, ને સંચિતકર્મે યુક્ત છે. અને જેમ બીજ ને ફોતરાને નિત્‍ય સંબંધ છે,અને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 337
Powered By Indic IME