સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૫ પુનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બોકાની સહિત બાંઘ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુનિએ માંહોમાંહી ઘણીવાર સુધી પ્રશ્ર્ન ઉત્તર કર્યા, તેમાં સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત, એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”કારણ શરીર છે એ જીવની માયા છે, તેજ કારણ શરીર તે સ્થૂલ, સૂક્ષ્મરૂપે થાય છે. માટે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઇશ્વરની માયા છે, તે કોઇ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ઘ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખાં જેવું થઇ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોટી હોય પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાઝીને ખોખાં જેવી […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)