Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

કારીયાણી ૭ : ચટકીના વૈરાગ્યનું – આત્યંતિક કલ્યાણનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પુરી હતી અને તે દીપમાળા મઘ્‍યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્‍યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ત્‍યાગી હોય તે તો નિવૃત્તિમાર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખે છે. અને જે ગૃહસ્‍થાશ્રમી છે તે તો પ્રવૃત્તિમાર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે માટે તે ગૃહસ્‍થાશ્રમી કેમ સમજે તો ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ગૃહસ્‍થને તો એમ સમજવું જે, “જેમ પૂર્વે ચોરાસી લાખ જાતનાં મારે માબાપ તથા સ્‍ત્રી છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે; ને કેટલાક જન્‍મની મા, બોન, દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી.’ એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે, તો ગૃહસ્‍થની પણ ત્‍યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે,” પછી એવી રીતે શ્રીજી મહારાજની […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 359

કારીયાણી ૮ : સગુણ-નિર્ગુણ સ્વરૂપનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્‍વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્‍વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે પુરૂષોત્તમ તેનું નિર્ગુણ સ્‍વરૂપ કેવી રીતે સમજવું, અને સગુણ સ્‍વરૂપ કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્‍વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે, અને તે ભગવાનનું સગુણસ્‍વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાનનું નિર્ગુણ સ્‍વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્‍વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્‍મા છે, અને તે થકી પર જે પ્રધાનપુરૂષ તેનું આત્‍મા છે, અને તે પ્રધાનપુરૂષ થકી પર જે શુદ્ધ પુરૂષ ને પ્રકૃતિ તેનું આત્‍મા છે, અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્‍મા છે, અને એ સર્વે ભગવાનનું શરીર છે, અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને ધણો પ્રકાશમાન છે તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશે નિલર્પ છે અને અતિ પ્રકાશે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 281

કારીયાણી ૯ : પાડાખારનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૫ પાંચમને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે નિત્‍યાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામી પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મુકે જ નહિ, પાડાની પેઠે રીસ રાખ્‍યાજ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ ?” પછી એ બે બોલ્‍યા જે, ”જે એવો હોય તેને તો સાધુ ન કહેવાય.” પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઇક ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેના હૈયામાં ભગવાનની ભકિત હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાયજ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્‍યો જે, આ ગોપીઓનાં ચરણરજનાં અધિકારી એવાં જે, વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્‍છ તેને વિષે હું પણ કોઇક થઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 288

કારીયાણી ૧૦ : નાડી જોયાનું -તપનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ રાત્રિને સમે સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાને વિષે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ દશ-બાર મોટેરા સાધુ બેઠા હતા તથા પાંચ-છો હરિભક્ત બેઠા હતા. અને શ્રીજીમહારાજના શરીરમાં કાંઇક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્‍વામીને કહ્યું જે, ”અમારી નાડી જુવો, શરીરમાં કાંઇક કસર જણાય છે.” પછી મુકતાનંદ સ્‍વામીએ નાડી જોઇને કહ્યું જે, ”હે મહારાજ ! કસર તો બહુ છે.” અને વળી એમ કહ્યું જે, ”હે મહારાજ ! હમણાં સત્‍સંગીને કઠણ કાળ વર્તે છે, કેમ જે, હે મહારાજ ! તમે તો સર્વે સત્‍સંગીના જીવનપ્રાણ છો, તે મહારાજને શરીરે કસર જેવું છે એજ સર્વે સત્‍સંગીને કઠણ કાળ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહા તપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ-ઇંદ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ-ઇંદ્રિયોને કષ્‍ટ થાય એમ વર્ત્યું જોઇએ તો ઇશ્વર ઇચ્‍છાએ જે કાંઇ કષ્‍ટ આવે તેને શીદ ટાળવાને ઇચ્‍છે ? અને વળી ત્‍યાગી સાધુને તો પોતાના મનમાં એમ દૃઢ રૂચિ રાખી જોઇએ જે, ‘મારે તો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 331

કારીયાણી ૧૧ : પ્રેમના લક્ષણનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી અને પીળાં ને રાતાં જે ગુલદાવદીનાં પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાઘમાં પીળાં પુષ્પના તોરા લટકતા હતા, અને પોતાની આગળ બે કોરે વાળંદ મશાલ લઇને ઉભા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને સચ્‍ચિદાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે. ”ભગવાનને વિષે પ્રીતિ હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહિ, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીયોને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ હતી તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરાં જવા તૈયાર થયા ત્‍યારે ગોપીયો સર્વે મળીને એમ વિચાર કર્યો જે, ‘આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્‍યાગ કરીને ભગવાનને જોરાઇએ રાખીશું.’ પછી ચાલવા સમે શ્રીકૃષ્ણ ભગવાનનાં નેત્ર સામું જોયું ત્‍યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહિ ત્‍યારે સર્વે ડરીને છેટે રહીયો, અને અંતરમાં એમ બીનીયો જે, જો આપણે ભગવાનના ગમતામાં નહિ રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે,’ એમ વિચારીને કાંઇ કહી શકીઓ નહિ. પછી ભગવાન મથુરાં પધાર્યા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 214

કારીયાણી ૧૨ : કારણ શરીર ટાળ્યાનું – આંબલીના કચૂકાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૫ પુનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બોકાની સહિત બાંઘ્‍યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુનિએ માંહોમાંહી ઘણીવાર સુધી પ્રશ્ર્ન ઉત્તર કર્યા, તેમાં સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, તથા વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત, એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”કારણ શરીર છે એ જીવની માયા છે, તેજ કારણ શરીર તે સ્‍થૂલ, સૂક્ષ્મરૂપે થાય છે. માટે સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત એ ઇશ્વરની માયા છે, તે કોઇ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્‍વરૂપ ઓળખ્‍યામાં આવે ને તે પરમેશ્વરના સ્‍વરૂપનું ઘ્‍યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખાં જેવું થઇ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોટી હોય પછી તેને જ્યારે અગ્‍નિમાં શેકે ત્‍યારે તે છાલ દાઝીને ખોખાં જેવી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 228

લોયા ૧ : ક્રોધનું – સંપૂર્ણ સત્સંગ થયાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં પરમહંસના ઉતારા મઘ્‍યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી. અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે ”શંકર શબ્‍દનો શો અર્થ છે ?” પછી મુનિ બોલ્‍યા જે ”સુખને કરે તે શંકર કહીએ” પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, આજ પાછલી ચાર ઘડી રાત રહી હતી તે સમે સ્‍વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધાં. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા. અને શરીરે બહુ પુષ્‍ટ હતા ને ચાલીસ વર્ષની અવસ્‍થા હતી ને મોટી જબરી જટા હતી. ને તે શિવજી ભેળે પાર્વતી હતાં તેણે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને શિવજી મોટા સંતની પેઠે શાંતમૂર્તિ હતા. અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું તો પણ મારે તો શિવ ઉપર હેત ન જણાયું, કેમ જે હું એમ જાણું છું જે, શિવ તો તમોગુણના દેવતા છે અને આપણે તો શાંતમૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ, તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ અને ઇન્‍દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેશે નહિ અને તેમાં પણ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 503

લોયા ૨ : વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાપ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી અસમાની રંગનો રેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંઘ્‍યો હતો અને કસુંબી રંગનો રેંટો કેડે બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને મુકતાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજીંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્‍તિ થઇ રહી ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ર્ન પુછું છું.” ત્‍યારે મુનિ બોલ્‍યા જે, ”હે મહારાજ ! પુછો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”આ સત્‍સંગમાં હરિભક્તને કયારે મૃત્‍યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્‍યાણ મનાઇ જાય ?” પછી મુકતાનંદ સ્વામીએ જેવો આવડયો એવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ પછી બીજા પરમહંસ બોલ્‍યા જે, ”હે મહારાજ ! એ પ્રશ્ર્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”તમે જ્યાં સુધી કીર્તન બોલ્‍યા ત્‍યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરમાં તો એમ આવ્‍યું છે જે ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્‍યુનો ભય નાશ પામે છે અને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 416
Powered By Indic IME