Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૭

અને શ્રીમદ્ભાગવત પુરાણનો જે દશમસ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષોવર્ષ એકવાર વાંચવો. ।।૧૧૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 70

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૮

અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિષે પોતાનાં સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ચરણ કેવું છે, તો પોતાનાં મનવાંછિત ફળને આપે એવું છે. ।।૧૧૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 90

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૯

અને કષ્ટની દેનારી એવી કોઇ દેવસંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. ।।૧૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 77

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૦

અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એ જે ત્રણ વાનાં તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં. ।।૧૨૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 82

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૧

અમે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું. ।।૧૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧રર

અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને  સરખા પાળવાના છે. અને હવે એ સર્વે ના જે વિશેષ ધર્મ  તેમને પૃથક્ પૃથક પણે કરીને કહીએ છીએ. ।।૧૨૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 84

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૩

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ – અમારા મોટાભાઇ અને નાનાભાઇ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. ।।૧૨૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 65

શિક્ષાપત્રી શ્લોક – ૧ર૪

અને તે સ્ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે ક્રુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી. ।।૧૨૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 80
Powered By Indic IME