Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સારંગપુર ૧૭ : મુકતના ભેદનું-આંબલીની ડાળીનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૬ છઠને દિવસ સંઘ્‍યા સમે શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે, તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્‍યારે ભગવાનને જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિ થકી પર માને ત્‍યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંધાથે ચોટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દૃઢ થતી જાય, ત્‍યાં દૃષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઇને પાણી પીવે અને ચકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ધોડા, હાથી તથા મોટા મોટા મગર, મત્‍સ્‍ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળીયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી, અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 221

સારંગપુર ૧૮ : ખાર ભૂમિનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા શુદિ ૮ આઠમને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે શ્રદ્ધાવાન પુરૂષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો  એના હૃદયને વિષે સ્‍વધર્મ, વૈરાગ્‍ય, વિવેક, જ્ઞાન, ભકિત આદિક જે કલ્‍યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઇ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે, અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્‍ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે, જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેધ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતાં ન હોય અને તેજ ખાર ભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઇ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળાં વડ, પિંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્‍યાં હોય તે બીજ ઉગીને મોટાં મોટાં વૃક્ષ થાય છે, તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દૃઢ હોય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 292

કારીયાણી ૧ : ઈયળ-ભમરીનું

સંવત્ ૧૮૭૭ ના ભાદરવા સુદિ ૧૨ દ્વાદશીને દિવસ ગામ શ્રી કારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્‍યા હતા તે ઢાળ્‍યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્‍યું હતું ને તેની ઉપર ધોળો તકીયો તથા લાલ મશરૂનાં ઢીંચણીયાં મુકયાં હતાં અને તે પલંગની ઉપર ચારેકોર સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો, અને સોનેરી છેડાનું શેલું ઓઢયું હતું, ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઇ રહ્યા હતા. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ”માંહો માંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ભૂધરાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનનો નિશ્વય થાય છે તે અંત:કરણમાં થાય છે કે જીવમાં થાય છે ?” ત્‍યારે તેનો ઉત્તર શિવાનંદસ્‍વામીએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 398

કારીયાણી ૨ : શાપિત બુદ્ધિનું

સંવત્ ૧૮૭૭ ના આસો સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ર્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે એક પ્રશ્ર્ન પુછીએ.” ત્‍યારે સર્વે બોલ્‍યા જે, “પુછો મહારાજ !” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્‍સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહિ, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્‍યા કરે પણ સત્‍સંગ મુકીને કોઈ દિવસ જાય નહિ, શા માટે જે, એને બુદ્ધિ છે તે એમ જાણે જે, ‘આવા સંત બ્રહ્માંડમાં કયાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી,’ એમ સમજાણું હોય માટે સત્‍સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્વય પણ બેયનો સરખો છે, પણ એકને અવગુણ આવ્‍યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ર્ન નાના શિવાનંદ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 362

કારીયાણી ૩ : શુકમુનિ મોટા સાધુ છે – માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો તેનું

સંવત્ ૧૮૭૭ ના આસોવદી ૭ સાતમને દિવસ સાયંકાળને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે શ્વેત ફેંટો બાંઘ્‍યો હતો, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”આ શુકમુનિ બહુ મોટા સાધુ છે, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી. માટે એતો મુકતાનંદ સ્‍વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મનુષ્યને પરસ્‍પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે; તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાં જે કોઇક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઇને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે,’ અને કોઇક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઇને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આતો અસાધુ છે.’ પણ એ માંહી તો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઇને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્‍યારે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 336

કારીયાણી ૪ : જીવ અને સાક્ષીના જાણપણાનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદિ ૮ અષ્‍ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ગોપાળાનંદસ્‍વામીએ ભજનાનંદસ્‍વામીને પુછયું જે, ”આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ? ને સાક્ષીનું જાણપણું કેટલું છે ?” પછી ભજનાનંદસ્‍વામીએ ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યંત વ્‍યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇંદ્રિયોની ક્રિયાને એકકાળાવછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્‍યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.” ત્‍યારે શ્રીજીમહારાજને નિત્‍યાનંદસ્‍વામીએ પુછયું જે, ”હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તેતો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્‍યાપક કેમ હોય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”મૂર્તિમાન હોય તે શું વ્‍યાપે નહિ ? જુવોને જ્યારે સ્‍વપ્ન આવે છે ત્‍યારે સ્‍વપ્નમાં ચિત્તને વિષે જે આકૃતિઓ જણાય છે, તે મૂર્તિમાન છે, કે અરૂપ છે ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામીએ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 323

કારીયાણી ૫ : અવતાર ધર્યાના પ્રયોજનનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદિ ૧૪ ચૌદશને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ છપરપલંગ ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ. પછી મુનિ બોલ્‍યા જે, “પુછો મહારાજ !” પછી શ્રીજી મહારાજે પુછયું જે, “ભગવાન જીવના કલ્‍યાણને અર્થે પૃથ્‍વી ઉપર અવતાર ધારણ કરેછે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્‍યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્‍યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્‍યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે.? અને જો અવતાર ધરે ત્‍યારે જ ભગવાનમાં કલ્‍યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવનાં કલ્‍યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે, ત્‍યારે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્‍યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવનાં કલ્‍યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે. ? એ પ્રશ્ર્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું કોઇથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઇ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 300

કારીયાણી ૬ : મત્સરવાળાનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદી ૩૦ અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ ઓસરીએ દીપમાળા પુરી હતી, અને તે દિપમાળા મઘ્‍યે મંચ બાંઘ્‍યો હતો ને તે મંચ ઉપર છપર પલંગ બિછાવ્‍યો હતો, તે ઉપર સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ વિરાજમાન હતા, અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ સ્‍વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાપની ડગલી પહેરી હતી, અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, અને અસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંઘ્‍યો હતો, અને કંઠને વિષે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી દીવબંદરના હરિભક્ત આવ્‍યા હતા તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ તે સિંહાસન ઉપરથી ઉતરીને ને તે ભક્તજન સામા જઇને તેની પૂજા અંગીકાર કરી. પછી તેનાં આપેલાં વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્‍યા જે, “આટલાં આટલાં વર્ષ થયાં તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઇ સામા  જઇને લેતા નથી, આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશે રાજીપો થયો.” પછી મુનિ બોલ્‍યા જે, “એવા જ એ પ્રેમી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 323
Powered By Indic IME