Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૯

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુકત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને  કિમણીરૂપ જે લક્ષ્મી તેમણે યુકત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. ।।૧૦૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 63

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૦

અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુકત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું. ।।૧૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 64

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૧

અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનનાં અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. ।।૧૧૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 64

શિક્ષાપત્રી શ્લોક – ૧૧ર

એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે એમ જાણવું. ।।૧૧૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 76

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૩

અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભકિત તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજું કલ્યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું. ।।૧૧૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 70

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૪

અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભકિત કરવી ને સત્સંગ કરવો અને એમ ભકિત ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન  હોય તે પણ અધોગતિને પામે છે. ।।૧૧૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 73

શિક્ષાપત્રી શ્લોક – ૧૧પ

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું, અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. ।।૧૧૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 70

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૬

અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત જે તે સર્વ કાળને વિષે કરવી. ।।૧૧૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155
Powered By Indic IME