Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૭

અને કથાવાર્તા બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, અક્ષરધામ ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ ચાર ઠેકાણે થાય છે ને બીજે કયાંય થાતી નથી, ને જ્યાં વિષય છે ત્‍યાં કથા-વાર્તા નથી. ૨૭૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૮

અને આપણે કાંઇક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારુ મોટા કહે જે આ કામ બગાડયું, તો પણ રાજી રહેવું, કેમ જે આપણને તો પૂર્વાપર સૂઝે નહિ ને મોટા તો દીર્ધદર્શી છે તે આગળ થાવાનું દેખે છે. ૨૭૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૯

અને સાંખ્‍યવિચાર કરવાની બહુ વાત કરી : જે સાંખ્‍ય વિચાર તો નિત્‍યે નિયમ રાખીને કરવો. ને સાંખ્‍ય વિના સુખ થાય નહિ, ને સાંખ્‍ય છે તે તો આંખ છે. તે આંખે કરીને સર્વે દેખાય. ને દત્તાત્રેય સાંખ્‍યવાળા તેને સુખિયા રહેતા આવડે, માટે સાંખ્‍ય વિચાર કરવા માંડે તો ધીરે ધીરે સિદ્ધ થાય, તેમાં સાંખ્‍ય શુ ? જે આ લોગ-ભોગ સર્વ ખોટું છે ને આત્‍મા છે તે સત્‍ય છે ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણ થકી અસંગી છે. ૨૭૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૦

જેણે ભગવાનને અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઇ જાય, પણ તે ભગવાનમાં ચોટે નહિ, એ તો જેમ તરવાર સજે છે, તેમ સાધુ વાત કરીને સજે તે કેડે ભગવાનમાં ચોટે. માટે જ્ઞાન શીખવું એ શ્રેષ્‍ઠ છે. ૨૮૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 71

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૧

ને કરોડ કામ ઠેલે ત્‍યાર પછી ભગવાનની વાતો થાય ને ઘ્‍યાન તો વળી તે પછી થાય. ૨૮૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮ર

અને ભગવાનના ભકતને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું ઘ્‍યાન તો રહે છે. તે નિશ્વયરુપ ઘ્‍યાન રહે, કે સાધુ પાસે જાવું છે એમ રહે કે હું ભગવાનનો ભકત છું એમ રહે. બાકી તેલધારા મૂર્તિમાં વૃત્તિ રહે એ તો સ્‍વરુપાનંદ સ્‍વામી આદિકની વાત છે. ૨૮૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૩

આપણે તો ભગવાન મળ્‍યા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્‍યા, તે ઉપર પ્રશ્ન પૂછયું : જે વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું ? તેનો ઉત્તર કર્યો: જે વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે, તો પણ અક્ષર માનવું, પણ આત્‍માને નરકનો કીડો માનવો નહિ. ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જાઇએ છીએ. ૨૮૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૪

અને સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્‍થૂળને ધક્કો લગાડી દે છે તે કેમ કરવું ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર : જે એ તો મોટા મોટાને પણ કજિયો છે, ને એટલું મટે ત્‍યારે તો સિદ્ધ થઇ રહ્યા, પછી શું કરવાનું રહ્યું ? એટલું જ કરવું છે. ૨૮૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 78
Powered By Indic IME