Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૭૭

અને તે વિશેષ નિયમ તે કિયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. ।।૭૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 179

શિક્ષાપત્રી શ્લોક – ૭૮

તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે  વિશેષપણે ભકિતએ કરીને ધારવો. ।।૭૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

શિક્ષાપત્રી શ્લોક – ૭૯

અને સર્વ જે એકાદશીયો તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા. ।।૭૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

શિક્ષાપત્રી શ્લોક – ૮૦

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જે,  જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઇ જાય છે. ।।૮૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૮૧

અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા ।।૮૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૮૨

અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું. ।।૮૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 85

શિક્ષાપત્રી શ્લોક – ૮૩

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું. ।।૮૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

શિક્ષાપત્રી શ્લોક – ૮૪

અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજયપણે કરીને માનવા. ।।૮૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93
Powered By Indic IME