Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૬૯

અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું, ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ।।૬૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 88

શિક્ષાપત્રી શ્લોક – ૭૦

અને ગુરૂ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢિંચણને બાંધીને ન બેસવું. ।।૭૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 86

શિક્ષાપત્રી શ્લોક – ૭૧

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. ।।૭૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98

શિક્ષાપત્રી શ્લોક – ૭૨

અમારા જે આશ્રિતજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ।।૭૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

શિક્ષાપત્રી શ્લોક – ૭૩

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે, ધર્મ છે તે જ સર્વ પુરૂષાર્થનો આપનારો છે. માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. ।।૭૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

શિક્ષાપત્રી શ્લોક – ૭૪

અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ।।૭૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 90

શિક્ષાપત્રી શ્લોક – ૭૫

અને કોઇની પણ જે ગુહ્યવાર્તા તે તો  કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. ।।૭૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

શિક્ષાપત્રી શ્લોક – ૭૬

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ।।૭૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 287
Powered By Indic IME