Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

વચનામૃત જયંતી: સંપૂટ ૧

ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪) ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્‍યાગ કરવો. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪) આ સત્‍સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૬) સત્‍સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્‍સંગમાં કુસંગ છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૭) જેમ ભુંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્‍ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૮) કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્‍મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૨૨) જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્‍સંગમાં મોટેરો છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૩૮) ભગવાનના ભક્તને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિન્ધો ! હે શરણાગત પ્રતિપાલક ! કુસંગી થકી અમારી રક્ષા કરજો. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪૮) ભગવાનના ભક્ત હોય તેને કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, […] read more

Edit | Renew | Delete | (expires in days)

2 Views : 849

સંપૂટ: ૧૭ (હરિલીલામૃત)

રાગઃ ઉપજાતિવૃત્ત સંસાર આ સ્વપ્ન સમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો; આ લોકમાં ઈશ્વરભકિત સાચી, તેના વિના વાત સમસ્ત કાચી.3 સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે; જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું.4 સંસાર કેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી; તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય.5 માટે કદી પાપ કરો ન કોઇ, મુવા મરે છે જન તેહ જોઇ; કરો સદા ઈશ્વરભકિત ભાવે, ભવાબ્ધિનો જેથકી પાર આવે.6 કળશ ૩, વિશ્રામ ૨૧ રાગઃ ઉપજાતિવૃત્ત તીર્થે જવું તે સતસંગ કામ, જયારે મળે સદગુરુ જેહ ઠામ; ત્યારે થયાં તીરથ સર્વ પૂરાં, જ્ઞાની જનો તો ન ગણે અધૂરાં. 41 ગંગા તણા જયાં જળના તરંગ, પામે જ તેનો જન જે પ્રસંગ; કૂવો તટે ત્યાં ખણવા ચહાય, ગમાર પૂરો જન તે ગણાય.43 સત્સંગથી જો નહિ શાંતિ થાય, કલ્યાણમાં સંશય જો જણાય; કાં તો નહીં સદગુરુ તેહ સાચો, કાં શિષ્ય જ્ઞાની કહિયે જ કાચો. 44 જો સદગુરુ ઇશ્વર આપ હોય, જે જે કહે તે કરવું જ તોય; અધર્મ કે ધર્મ ગણે ન છેક, આજ્ઞા ગુરુની શુભ ધર્મ એક. 46 સત્સંગી થૈ ભાવ ભલો જ ભાખે,જે અન્ય આસ્તા ઉર માંહી રાખે; તો મર્મ તે તો સમજયો ન કાંઇ, ભલે પડ્યો […] read more

Edit | Renew | Delete | (expires in days)

3 Views : 3082

સંપૂટ: ૧૬ (હરિલીલામૃત)

રાગઃ ઉપજાતિવૃત્ત કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની વિકિત; હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.3 શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય; હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન.4 દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઇ જેવી; આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે.5 પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી; કથા સુણે એક જ વારવાર, ન ભકત પામે અરુચી લગાર.7 સમીપ આવે મરવાનું જયારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે; સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણકથા તજાય.8 સત્સંગનો કૃષ્ણકથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો; સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી.11 આહારનો ભાવ જણાય જેને, થશે શરીરે અતિ પુષ્ટિ એને; ભાસે કથા ઊપર તીવ્ર ભાવ, સત્સંગનો અંગ થશે ચડાવ.12 કળશ ૩, વિશ્રામ ૧૦ read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 3994

સંપૂટ: ૧પ (હરિલીલામૃત)

રાગઃ ઉપજાતિવૃત્ત કુટુંબમાં હોય સુભક્ત અેક, તારે કુટુંબો જન તે અનેક; જો પાપી મોટો કુળમાંહી થાય, ઘણા જનો લઇ નરકે જ જાય. ૧ તારા ઘણા તો નભમાં રહે છે, શોભા નિશા તો શશીથી લહે છે; ઘણા જનો જે કુળમાંહી હોય, શોભાવશે અેક જ ભક્ત તોય. ૨ જે વંશમાં અેક જ ભક્ત થાય, પવિત્ર તે વંશ બધો ગણાય; જે જાણીઅે ભક્તની જન્મવાળી, તે ધન્ય ભૂમિ ભલી ભાગ્યશાળી. ૩ કુંતા સીતા દ્રોપદી ગોપીકાઅો, રાધા રમા કે શ્રુતિની ઋચાઅો; ઇત્યાદિ જે ઉત્તમ સૌ ગણાય, તે સર્વથી ઉત્તમ મીણબાઇ. ૪ કળશ ૫, વિશ્રામ ૧૭ અારોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો; કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ સાત તેહ. ૧ વ્યાધિ ઉપાધિ ઋણ હોય માથે, કુભારજા ક્લેશ કુટુંબ સાથે; કુપુત્ર કે હોય કુમિત્ર સંગ, તે દુઃખના સાત ગણાય અંગ. ૨ કળશ ૫, વિશ્રામ ૧૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 2887

સંપૂટ: ૧૪ (હરિલીલામૃત)

રાગઃ ઉપજાતિવૃત્ત જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે; છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક.45 જો સ્વામિનારાયણ એકવાર, રટે બીજાં નામ રટ્યા હજાર; જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું ? 46 ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ; સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. 47 ગાયત્રીથી લક્ષ ગુણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ; જયાં જયાં મહામુકત જનો વસાય, આ કાળમાં તો જપ એજ થાય. 48 જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય; તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. 49 તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશી જાય; શ્રીસ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુકિત લેશે. 50 ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર; છયે ૠતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે. 51 પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્યે સ્મરવું સનેહે; જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય.52 જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યાં બ્રાહ્મણ ધેનું સંત; તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં. 53 શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર; પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહેજ તેનું ? 54 કળશ ૫, […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 3241

સંપૂટ: ૧૩ (કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો)

સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો વાતઃ૭૦ સત્સંગનો પ્રતાપ તો જુઅો. તડ ગામમાં જેઠા કોળી હતા. તે બ્રાહ્મણના જેવો ધર્મ પાળે. અેક અંગ્રેજ અમલદાર ગામના પટેલ સાથે સીમ જોવા નીકળેલ. છેટેથી પૂછ્યુંઃ 'પટેલ, અોલ્યું કોનું સાતી છે?' પટેલે કહ્યું, 'સાહેબ, કોળીનું છે.' અાશ્ચર્ય સાથે અમલદારે કહ્યું, 'અે કોળી અાવા સારા બળદ રાખે છે?' પટેલ કહે, 'સાહેબ, તેના જેવા બળદ ગામમાં કોઇના નથી.' જેઠાભગત પાસે જઇને અમલદારે થોડી વાતો કરી. થોડે દૂર બોરડીના ગળાયા નીચે કંઇક જોઇને કહે, 'અોલ્યું બોરડીના ગળાયા નીચે શું છે?' ત્યારે જેઠાભગત કહે, 'પાણીની ભંભલી છે. માથે કાગડો બેસી જાય તો અભડાય માટે માથે પાલેરું રાખ્યું છે.' ત્યારે કહે, 'લોટો છેટે કેમ પડ્યો છે?' તો કહે, 'તે બહીર્ભૂમી જવાનો છે. પાણી પીવાનો જુદો છે.' અાવી અાચારશુદ્ધિ તે જમાનામાં ઉચ્ચ વર્ણમાંય બહુ જોવા ન મળતી અને અા કોળીની અાચારશુદ્ધિ જોઇને અમલદાર ખુશ થયો. પટેલે કહ્યું, 'સાહેબ, અા ગામમાં અા અેક ખેડુ અેકાદશી પાળે છે. દર દશમીને દિવસે ઉના મંદિરે જાય. અેકાદશીનો ઉપવાસ કરે ને ભજન કરે. બારશનું પારણું કરી ઘેર અાવે. અેવું અડગ નિયમ છે. અને દરરોજ સવારમાં ઊઠીને નાહીને પૂજા પાઠ કરે છે. તિલક ચાંદલો કરે છે. ઉજળા કપડા પહેરે છે. અને અન્ન, વસ્ત્ર ને અાબરું ગામમાં અેના જેવા કોઇના નથી.' વાતઃ૭૮ વાંકિયાના માધાભગત કેવળાત્માનંદ સ્વામી સાથે જૂનાગઢ સાધુ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 3208

સંપૂટ: ૧૨ (કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો)

સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો વાતઃ૪૧ ગામ બારપટોળીમાં અાલા સુતાર હતાં. તેને તેડવા મહારાજ પાંખાળી ઘોડીઅે ચડીને અાવતા હતાં. તે અાવતાં જોઇને અાલા ભક્તઅે પત્ન‍િને કહ્યું, 'મને મહારાજ તેડવા અાવે છે પણ મારે જવું નથી. ખડકી દઇ દે. ને તું મહારાજને કહેજે કે, ભક્ત ઘેર નથી.' અેક કહીને કોઠી અાડા સંતાઇ ગયા. ત્યાં મહારાજ પધાર્યા ને કહે, 'અાલા ભગત છે?' ત્યારે બાઇ કહે, 'ઘેર નથી.' અેટલે મહારાજ ચાલ્યા ગયા. મહારાજ તો બધું જાણતાં હતા કે અા ભગત શરીરે નરવા છે ને ભેંસુ દૂજે છે અેટલે અેમ છે કે ખાશું પીશું ને મજા કરશું પણ જોવું કેવીક મજા કરે છે. મારો ભક્ત છે અેટલે જગતમાં બંધાવાં દઉં તો મારી અાબરું શું? થોડા સમયમાં બધી સુખ સંપત્ત‍િ વ‍િંખાઇ ગઇ અને શરીર રોગે ઘેરાણું. પછી મહારાજને પ્રાર્થના કરવા માંડ્યાં, 'હે મહારાજ! અા દેહમાંથી છોડાવો.' માટે અા લોકમાં શો માલ છે, ને શું સુખ છે? જીવે જે સુખ માન્યું છે અે તો કેવળ દુઃખરુપ છે. ને જો તેમાં સુખ હોત તો શાસ્ત્રવાળા શું લખત! માટે ભગવાનનાં ભક્ત હોય તેને તો તૈયાર થઇ રહેવું જે ક્યારે ભગવાન તેડવા અાવે ને ક્યારે જઇઅે. વાતઃ ૪૩ શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા. બાઇઅોની સભામાં છેલ્લે કોઇ બાઇ બેઠા હશે તેના ઉપર તડકો અાવવાનો થયો અેટલે મહારાજે અેક જણને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 4520

સંપૂટ: ૧૧ (સ્વામીની વાતો)

કેટલેક રુપિયે આંખ, કાન આદિક ઇન્દ્રિયો મળે નહિ, તે ભગવાને આપ્યાં છે, પણ જીવ કેવળ કૃતઘ્ની છે. વાત-૧૨૧, પ્રકરણ-૧ આ લોકમાં ડાહ્યો તો કોઇ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. વાત-૧૨૬, પ્રકરણ-૧ ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તેના ઉપર સહુહેત કરશે, ને એથી પ્રતિકૂળ રહેશે તેને સહુ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી. વાત-૧૨૯, પ્રકરણ-૧ એક દિવસે રાજ દેવાય, પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે તેટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય, એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે. વાત-૧૩૩, પ્રકરણ-૧ અને આ વાતું તો જાદુ છે, તે જે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું ? તો જે જગત ખોટું થઇ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે ? વાત-૧૩૭, પ્રકરણ-૧ અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તા સમજવા. વાત-૧૪૯, પ્રકરણ-૧ સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઇ મંત્ર આજ બળિયો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરુપ થવાય ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. વાત-૧૫૪, પ્રકરણ-૧ આ સત્સંગ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 6982
Powered By Indic IME