વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી
ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી
મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન ।।
નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન ।। ૨ ।।
વીતી વેળાયે મુનિ આવિયા, રાજા કેમ કર્યું તે ભોજન ।।
મને જમાડ્યા વિના જમ્યો, દઉં છું હું શાપ રાજન ।। ૩ ।।
શાપ દઈ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર ।।
બહુ ભાગે આવે બાળતું, પછી આવ્યા હરિને આધાર ।। ૪ ।।
કહ્યું હરિને કષ્ટ નિવારિયે, ટાળિયે સુદર્શનનો ત્રાસ ।।
ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય ।।
આજ તે દી એક ભાવ હોય તો, સુદર્શન દૂર થાય ।। ૬ ।।
એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર ।।
એવા ભકત જે જકતમાંહી, તેની ઉપર પ્રભુનો પ્યાર ।। ૭ ।।
પર પ્રાણીને પીડે નહિ, મર પીડાય પંડ પોતાતણું ।।
એવો વિચાર જેને અંતરે, ઘડીઘડીએ રહે છે ઘણું ।। ૮ ।।
હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાઈ ભાગ આવી નથી ।।
તેણે અવળું અવરનું, કેમ થાય ઉપર અંતરથી ।।૯।।
સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દિયે કાંય ।।
નિષ્કુળાનંદ એ ભકતની, શ્રીહરિ કરે છે સા’ય ।।૧૦।।