વળી જ્ઞાનના શબ્દ પાડવા; કેમ જે, શબ્દે કરીને તો દેહબંધાય છે. તે ‘કાટવી’ એમ કહે, ત્યાં ઓલ્યું બકરું બોલે એમથાય. ને ગાયનો વાઘ કરી દે એવા માણસો હોય.તે ઉપર વાત કરી જે, ચાર ચોરે શણગારેલી ગાય દીઠી.તે લઇ લેવા ધાર્યુ. પછી ઓલ્યા બ્રાહ્મણને કહે ‘તુંને તો એણે બાપ મર્યા કેડે વાઘ દીધો.’ ત્યારે તે બ્રાહ્મણ કહે ‘આ તો ગાય છે ને શું ?’ પછી આઘે જતાં વળી બીજાએ કહ્યું જે,‘અરે !આ વાઘ લઇને કયાં જાય છે ?’ ત્યારે તેને ભ્રાંતિ પડી પછી ત્યાંથી આઘે જતાં ત્રીજાએ પણ એમ કહ્યું ત્યારે તો ઘણી જ ભ્રાંતિ પડી ને છેટે છેટે ચાલવા લાગ્યો. પછી આઘે જતાં ચોથે જણે કહ્યું, ત્યારે કહે :‘હા ભાઇ સૌ કહે છે તે એ વાઘ જ હશે.’ પછી મૂકી દીધી.એમ આપણામાં કૈંક કહેશે જે,‘તમારું આમ વાકું બોલેછે.’ તે જયાં મહિનો એમ કહે, ત્યાં ખરું મનાઇ જાય. માટે શબ્દ તો આકાશનો ભાગ છે, તે આકાશમાં લીન થઇ જાયછે, એમ સમજવું ને આત્મનિષ્ઠ થાવું, પછી તેને લાગે જ નહિ.એમ ડાહ્યા માણસને વિવેક જોઇએ ને આપણને કોઇક સનકાદિકજેવા કહે, તો શું કાંઈ સનકાદિક જેવાં થઇ ગયા ? ને કોઇક લંબકરણ જેવા કહે, તો શું તેવા થઇ ગયા ? એમાં શું એતો જીવનો સ્વભાવ તે ગમે તેમ કહે, જો એમ જ મનાશે, તો યોગીના લિંગનો ભંગ કેમ કહેવાશે ? માટે આ ત્રણ દેહથીનોખું વર્તવું ને જીવમાં ભજન કરવું, તેથી કારણ દેહ બળે છે.ને આ તો કારખાના પણ ઊભાં છે. વ્યવહાર, બીજા-ત્રીજા બધાંઊભાં છે,તે ગાણૈ પણે રાખવાં ને મુખ્યપણે તો જ્ઞાન રાખવું. ।।૮૪।।