વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી
તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી
દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી ।।
અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી ।। ર ।।
જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ ।।
તે સમજયા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ ।। ૩ ।।
જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ ।।
જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુકત મુનેશ ।। ૪ ।।
એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત ।।
હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત ।। પ ।।
ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું ।।
એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું ।। ૬ ।।
ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું ।।
દુઃખ દેખશું જયાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।। ૭ ।।
એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને ।।
નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને ।। ૮ ।।