વળી, મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યસહિત એક રહેણીએ મરવું પણ ‘ક્ષણે રુષ્ટાઃ ક્ષણે તુષ્ટાઃ , રુષ્ટાઃતુષ્ટાઃ ક્ષણે ક્ષણે’ એમ ન કરવું. જુઓ પૂરું કોઇનું થયું છે ?સૌને ચેલા બરોબર નથી થયા; લૂગડાં બરોબર નથી થયા;ધાબળી, ખાવું, હવેલી, ગાડી, ઘોડું એ કોઇને પૂરાં નથી થયાં.ને ત્રિલોકમાં કોઇને સવારના પહોરમાં ભગવાન ભજવા કે કથાકરવી એમ ન મળે ને બીજુ સર્વે કરે પણ કથા ન કરે, ને રૂપિયા,હવેલી, વિવાહ, ખાવું મજૂરી એમાં સવારમાંથી મંડે છે. અને આ તો એમ જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ,ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ, નીકર થાય તેવુંકયાં છે ? જે ઘડીએ થઇ રહે છે તે ઘડીએ માણસ મંડી પડેછે. આ તો વૃત્તિને રોકીને કરીએ છઈએ, કરવાનું તો એ જ છે ને એ કર્યે જીવ વૃદ્ધિ પામતો જાય છે. ।।૮૬।।