અને સર્વ પ્રકારની આસકિત ટળી જાય તો આ લોક ને દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુ:ખ થાય છે એમ બોલ્યા તે ઉપર પ્રશ્ન પૂછયું, જે આસકિત રહે છે, તેનું દુ:ખ થાય છે; તેનું કેમ સમજવું ? પછી તેનો ઉત્તર કર્યો: જે એ દુ:ખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય, તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રુપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડયો તે ભેળી ઉલટી થઇ, તેમ બીજાને દેખાય તો એવું થાય. ૮૦