અને ભગવાનનો ને મોટા સાધુનો નિશ્વય જેને થયો હોય તે પોતાને પૂર્ણકામ માને, ને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્ષ્ટાંત : જે જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રુપિયા હોય તેને કાળ પડે, તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્ષ્ટાંત : જે બે હજાર બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્વયવાળાને બીક નહિ. ૩૧૫