ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારનાં જે મનુષ્ય તે હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહિ.

  • ગઢડા પ્રથમનું ૭૬મું
  • જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, તોપણ કોઈ રીતે દેહ પર્યંત મુઝાય નહિ, એવો હોય તે પાકો સત્સંગી છે.

  • ગઢડા પ્રથમનું ૭૬મું
  • જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ, તેને મુકીને જ્ઞાનનું કે ભકિતનું બળ લેશે, તે ગુરૂદ્રોહી, વચન દ્રોહી છે અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો.

  • ગઢડા પ્રથમનું ૭૭મું
  • વિમુખ હોય ને તે બોલતો ચાલતો દેહ મુકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી, તે તો સારી રીતે દેહ મુકે અથવા ભૂંડી રીતે મુકે પણ નરકે જ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મુકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મુકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મુકે પણ તેનું કલ્યાણ જ છે.

  • ગઢડા પ્રથમનું ૭૭મું
  • જેને અચળ નિશ્વય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે.

  • ગઢડા પ્રથમનું ૭૮મું
  • જેને સત્સંગનો અતિ દૃઢ પક્ષ હોય, તે જ્યારે કોઈક સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહિ, જેમ પોતાના દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિષે અચળ છે.

  • ગઢડા પ્રથમનું ૭૮મું
  • જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહિ અને દર્શનનો પણ લોભ રાખવો નહિ, ને ભગવાન જેમ કહે તેમ કરવું.

  • ગઢડા પ્રથમનું ૭૮મું
  • જે ત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરૂબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિષે પણ એ ત્રીસ લક્ષણ આવે છે.

  • ગઢડા પ્રથમનું ૭૮મું
  • પ્રસાદાનંદ સ્‍વામીએ પુછયું જે ”જીવને મોક્ષનો શો હેતુ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે.

  • ગઢડા પ્રથમનું ૭૮મું
  • કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે.

  • ગઢડા પ્રથમનું ૭૮મું