અંતરમાં જે કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે, માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે, તો કુસંગીનું બળ ધટી જાય અને સંતનું બળ વધે છે.

  • ગઢડા પ્રથમનું ૭૦મું
  • ભગવાનનો નિશ્વય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઇક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો. અને જો પદાર્થની ઇચ્છા રાખીને સત્સંગ કરે તો એ પદાર્થની ઇચ્છા પુરી થાય, તો અતિશે પાકો સત્સંગી થઇ જાય અને જો ઇચ્છા પુરી ન થાય તો નિશ્વય ધટી જાય.

  • ગઢડા પ્રથમનું ૭૦મું
  • સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુ:ખ હોય તે કાંટે મટે છે, કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુ:ખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુ:ખી ન થાય, એ બે વર મને આપો.’

  • ગઢડા પ્રથમનું ૭૦મું
  • “જેની ઉપર જેને ઇર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઇર્ષ્યાનું લક્ષણ છે.

  • ગઢડા પ્રથમનું ૭૧મું
  • મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, “જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઇ જઇશ.” માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઇ બીજો હોય પણ ગરીબ માત્રને લેશમાત્ર દુ:ખવવો નહિ. અને જો ગરીબને દુ:ખવે તો તેનું કોઇ પ્રકારે સારૂં થાય નહિ.

  • ગઢડા પ્રથમનું ૭૨મું
  • જેને માહાત્મ્યે સહિત નિશ્વય હોય તેને એમ સમજાય જે ‘જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઇ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારૂં દર્શન કરે તથા મારૂં વચન માને તેનું પણ કલ્યાણ થઇ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે ? હું તો કૃતાર્થ છું અને જે કાંઇ સાધન કરૂં છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરૂં છું.’

  • ગઢડા પ્રથમનું ૭૨મું
  • જેણે પરમેશ્વરને મન અર્પ્યુ હોય અને તેના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય, તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે અને જેણે મન ન અર્પ્યુ હોય અને તે અતિશે અમારી સમીપે રહેતો હોય, તોય લાખો ગાઉ છેટે છે.

  • ગઢડા પ્રથમનું ૭૩મું
  • જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઇક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઇક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ.

  • ગઢડા પ્રથમનું ૭૪મું
  • આપણે તો શ્રીકૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રીકૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું, અને એ શ્રીકૃષ્ણભગવાનની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે, અને એ ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું.

  • ગઢડા પ્રથમનું ૭૪મું
  • ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો તે સંબંધી હોય અથવા બીજો કોઇ હોય તે સર્વનું કલ્યાણ થાય છે.

  • ગઢડા પ્રથમનું ૭૫મું