સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્સંગમાં કુસંગ છે.

  • ગઢડા પ્રથમનું ૧૭મું
  • વાસનાવાળા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો! પણ ગૃહસ્થના ધર્મ ઘણા કઠણ છે અને અનંત પ્રકારનાં સુખદુ:ખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહિ અને ગમે તેવું ભારે દુ:ખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે.

  • ગઢડા પ્રથમનું ૧૪મું
  • જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં-ચાલતાં દેહ મુકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે.

  • ગઢડા પ્રથમનું ૧૪મું
  • પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહિં કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઇ જશે.

  • ગઢડા પ્રથમનું ૧૮મું
  • આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંત:કરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય તે સમે તેનું અંત:કરણ બીજી જાતનું થઇ જાય છે. અને તૃણની ઝુંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત સહવર્તમાન ભગવદવાર્તા થાતી હોય તે સભામાં જઇને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંત:કરણ બીજી રીતનું થાય છે.

  • ગઢડા પ્રથમનું ૧૮મું
  • આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે, કુરૂપને જાુવે છે તથા બાળ, યૌવન અને વૃઘ્ધપણાને જાુવે છે, એવાં અનંત પદાર્થને જુવે છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી એજ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે અને એજ ઘેલામાં અતિશે ઘેલો છે અને એજ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે.

  • ગઢડા પ્રથમનું ૨૦મું
  • જે ભગવાનનો ભકત હોય તેને ખાતાં, પીતાં. નાતાં, ધોતાં, ચાલતાં, બેઠતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું.

  • ગઢડા પ્રથમનું ૨૧મું
  • મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજીંત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામ રટણ કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઈત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું.

  • ગઢડા પ્રથમનું ૨૨મું
  • સત્સંગનો પ્રતાપ તો અતિશે મોટો છે અને બીજાં સાધન છે તે કોઇ સત્સંગ તુલ્ય થાય નહિ.

  • ગઢડા પ્રથમનું ૩૦મું
  • જ્યારે કોઇ હરિભકતનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે “આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે તેવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડયો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે” એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો.

  • ગઢડા પ્રથમનું ૨૪મું