રાગ-ધોળ ‘સખી સાંભળ્યને કહું વાત, આજ મારાં ભાગ્ય ભલાં’
કહે તો વળી કહું એક વાત, સુણજયો સહુ મળી ।।
છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વાલપે કહું વળી ।। ૧ ।।
જેમ નરદેવ દઈને દંડ, વેરીને વશ્ય કરે ।।
લિયે ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સરવે ડરે ।। ૨ ।।
તેમ પ્રગટી પૂરણ બ્રહ્મ, સંતના શત્રુ હણ્યા ।।
કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા ।। ૩ ।।
સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા કીધા ।।
કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા ।। ૪ ।।