કૃષ્ણ પધાર્યા કેડ્યની વાત, ભલી ભાગવતે ભાખી ।।
કર્યો અસુરે બહુ ઉતપાત, હરિનારી ઘેર રાખી ।। ૧ ।।
અર્જુનનું ન ઊપજયું કાંય, ગાંડીવ ઘણુંયે હતું ।।
તોય ન થઈ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું ।। ૨ ।।
માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા ।।
સમા સમું રહે કહો કેમ, જેના રખવાળ ગયા ।। ૩ ।।
માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો ।।
કહે નિષ્કુળાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો ।। ૪ ।।