જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય, જન સહુ જાણે છે ।।

એકલશૃંગી સૌભરીનાં શૂલ,  પોથીમાં  પ્રમાણે છે ।। ૧ ।।

નારદ  પર્વતની  નિદાન,  કીર્તિ   કથામાં  કહી ।।

માટે સહુ રહેજયો સાવધાન, ખબડદાર ખરા થઈ ।। ૨ ।।

જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી ।।

માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહિ વાત ખરી ।। ૩ ।।

રહેવું નહિ ગાફલ ગમાર,  માલ  અતોલ મળે ।।

કહે  નિષ્કુળાનંદ  વિચાર,  કરવો  પળે  પળે ।। ૪ ।।