જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે ।।

નાનાં મોટાં કરી રહે ઘર, કોયને ન કાઢી નાખે રે ।। ૧ ।।

પણ જયાં લગી જીવ હોય , ત્યાં લગી તેમાં રહે રે ।।

વણ જીવે રહે નહિ કોય, લે’ર  દૂર નાખી દહે રે ।। ૨ ।।

હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે ।।

તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદા કાળે રે ।। ૩ ।।

વણ જીવે  હોય નહિ વાસ, સત્સંગ સિંધુમાંઈ રે ।।

કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું  કાંઈ રે ।। ૪ ।।