સમું સમજે શોધતાં એવા, જોતાં ઝાઝા નવ જડે રે ।।
જેને ન આવડે અવળું લેવા, વણતોળી વિપત્ય જો પડે રે ।। ૧ ।।
માન મોટપ્ય ને મમતા મૂકે, ગમતું ગોવિંદનું જાણી રે ।।
ચોટ નિશાન ઉપરથી ન ચૂકે, પરલોકે પ્રતીતિ આણી રે ।। ૨ ।।
કોય કાળે જો કામ પોતાનું, વણસાડે નહિ વળી રે ।।
કપટ કેદિયે ન રાખે છાનું, મોટા સંતને મળી રે ।। ૩ ।।
એવા જન જગતમાં જાણો, ઘરઘર ઘણા ન હોય રે ।।
નિષ્કુળાનંદ કહે પરમાણો, સાચા સંત કા’વે સોય રે ।। ૪ ।।