સમું  સમજે શોધતાં એવા, જોતાં ઝાઝા નવ જડે રે ।।

જેને ન આવડે અવળું લેવા, વણતોળી વિપત્ય જો પડે રે ।। ૧ ।।

માન મોટપ્ય ને મમતા મૂકે, ગમતું ગોવિંદનું જાણી રે ।।

ચોટ નિશાન ઉપરથી ન ચૂકે, પરલોકે પ્રતીતિ આણી રે ।। ૨ ।।

કોય કાળે જો કામ પોતાનું, વણસાડે  નહિ વળી રે ।।

કપટ કેદિયે ન રાખે છાનું, મોટા સંતને મળી રે ।। ૩ ।।

એવા જન જગતમાં જાણો, ઘરઘર ઘણા ન હોય રે ।।

નિષ્કુળાનંદ કહે પરમાણો, સાચા સંત કા’વે સોય રે ।। ૪ ।।