આ લોકની જેણે આશા તજી છે, પરલોકના સુખ સારુ રે ।।
તેણે કરી હરિભકત રજી છે, સંસાર સુખ થયું ખારું રે ।। ૧ ।।
ચૌદ લોક ને ચતુરધા લગી, જગમાં જે જે કહેવાય રે ।।
સર્વે ઠેકાણે અગનિ સળગી, દેખે તપતાં ત્યાંય રે ।। ૨ ।।
ઠરવા ઠાઉકું ઠામ ન સૂઝે, કહો સુખ કયાં મનાય રે ।।
કાળ માયાથી સહું રહ્યાં ધ્રૂજે, હરિનાં ચરણ વિનાય રે ।। ૩ ।।
એમ અહોનિશ અંતરમાંઈ, વરતે છે વૈરાગ રે ।।
નિષ્કુળાનંદ કહે તેને કાંઈ, કઠણ ન હોય કરવું ત્યાગ રે ।। ૪ ।।

