એવાને સંગેથી અક્ષરધામે, જવાય છે જો જરૂર રે ।।

બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે ।। ૧ ।।

જેને જાવું હોય જમને હાથે, દક્ષિણ દેશની માંય  રે ।।

તે તો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી કાંય રે ।। ૨ ।।

પણ જાવું જેને પ્રભુજી પાસે, તેને કરવો તપાસ રે ।।

અંતર બીજો તજવો આશે, થઈ રહેવું હરિના દાસ રે ।। ૩ ।।

આવી વાત અંતરે ઉતારી, કરી લેવું નિજ કામ રે ।।

નિષ્કુળાનંદ કહે વિચારી, તો પામિયે હરિધામ રે ।। ૪ ।।