એવાને સંગેથી અક્ષરધામે, જવાય છે જો જરૂર રે ।।
બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે ।। ૧ ।।
જેને જાવું હોય જમને હાથે, દક્ષિણ દેશની માંય રે ।।
તે તો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી કાંય રે ।। ૨ ।।
પણ જાવું જેને પ્રભુજી પાસે, તેને કરવો તપાસ રે ।।
અંતર બીજો તજવો આશે, થઈ રહેવું હરિના દાસ રે ।। ૩ ।।
આવી વાત અંતરે ઉતારી, કરી લેવું નિજ કામ રે ।।
નિષ્કુળાનંદ કહે વિચારી, તો પામિયે હરિધામ રે ।। ૪ ।।