(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ.
ધીરજ સમ નહિ ધન રે સંતો આવે અર્થ દોયલે દન રે સંતો
અતોલ દુઃખ પડે જયારે આવી, તે તો ન સે’વાય તન;
તેમાં કાયર થઈને કે દી, ન વદે દીન વચન રે સંતો ।। ૧ ।।
ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન;
તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ રે સંતો ।। ૨ ।।
ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન;
કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે સંતો ।। ૩ ।।
આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન;
નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો ।। ૪ ।।