એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી

તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેસી શિબિકાયજી

શિબિકાનો વુઢારથી વાટમાં, પડ્યો માંદો આવી તેની ખોટ ।।

ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડીદોટ ।। ૨ ।।

જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય ।।

દિયે તલપ તે દેખીને, તે થડક રાયે ન ખમાય ।। ૩ ।।

ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો અવળાઈ કેમ ।।

ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે એમ ।। ૪ ।।

ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમા લાવી વચન ।।

ત્યારે જડભરત બોલિયા, સુણ્ય વચન કહું રાજન ।। ૫ ।।

અવળાઈ જે મારા અંગની, તે કહું હું સર્વે તુજને ।।

તેં જે જે કહ્યું તારી જીભથી, તેનું નથી દુઃખ કાંઈ મુજને ।। ૬ ।।

તેં કહ્યું જોઈ આ તનને, તેહ નથી આત્મામાં એક ।।

દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક ।। ૭ ।।

ત્યારે પૂછ્યું રાયે પિછાન પડી, લાગ્યા પાય પ્રણિપત કરી ।।

ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું અતિ કરગરી ।। ૮ ।।

એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પિછાન ।।

ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાયે નિદાન ।।૯।।

ભાદે વડ ભીંડો તડોવડ્ય છે, સામુ વડથી વધે છે વશેક ।।

નિષ્કુળાનંદ નમૂલિયાની, અંતે ટકે નહિ ટેક ।।૧૦।।