હરિજનને છે એક મોટું જયાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી

તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી

તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા ।।

મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા ।। ૨ ।।

જેમ ભાંડ બાંડ ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા ।।

સો સો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી નાસી જાય વેગળા ।। ૩ ।।

એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર ।।

અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર ।। ૪ ।।

કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો ।।

પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો ।। ૫ ।।

અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત ।।

પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત ।। ૬ ।।

કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે ।।

અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે ।। ૭ ।।

ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી ।।

પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી ।। ૮ ।।

આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી ।।

ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ ।।૯।।

મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ ।।

નિષ્કુળાનંદ ફંદ પડિયો ગળે, પરવશ થયો પશુરાજ ।।૧૦।।