ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી ।
ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી, અંતર અરિ આગે ન રહી કેની ફુલજી ।।૧।।
ઢાળ-
અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડેછે ફેર । હમેશ હરિભકતપણું, રે’વા ન દિયે કોયવેર ।।ર।।
ક્ષણક્ષણમાં ખોટા ખરા, ઘણા ઘણા ઘડે છે ઘાટ । તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એકવાટ ।।૩।।
કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ ?। ઓશિયાળા સહુ અંતરે, રહે નર અમર સુરરાજ ।।૪।।
વિકટ છે એહ વારતા, હરિભકત રે’વું હમેશ । દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ ।।પ।।
મોટા મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન । લાગે નહિ મેશ લુગડે, એવા તો કોઈક જન ।।૬।।
વેરિને વાસે વસવું, વળી રાખવી ઉગરવા આશ । કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ ।।૭।।
અદોષ રેવું એહથી, એવી સુણી નહિ કોઈ રીત । નિષ્કુલાનંદ એ નવું નથી, સહુ વિચારી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।૧૪।।