રાગ:- પરજ
નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયેરે ।
એહ જેવા તો એકજ એ છે, બીજે કેમ થવાયરે ।।૧।।
સૂરજ સરખા એક સૂરજ છે, શશી સરખા શશિરે ।
સિંધુ સરખા એક સિંધુ છે, એને ઉપમા કશીરે ।।ર।।
શૂન્ય સરિખો એક શૂન્ય છે, સમીર સરિખો સમીરરે ।
તેજ સરિખું એક તેજ છે, નીર સરિખું નીરરે ।।૩।।
એમ પ્રભુ સરિખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરીરે ।
નિષ્કુલાનંદ કે’ નિશ્ચય કરીને, માની લીયો વાત ખરીરે ।।૪।। પદ ।।૭।।